fbpx

અયોગ્ય અને સૌથી મૂર્ખ લોકો કેમ સત્તામાં આવે છે?

Spread the love
અયોગ્ય અને સૌથી મૂર્ખ લોકો કેમ સત્તામાં આવે છે?

નિકોલો મેકિયાવેલી રાજકીય ફિલસૂફ અને “ધ પ્રિન્સ”ના લેખક રાજકીય સત્તા અને નેતૃત્વની ગતિશીલતા વિશે વ્યવહારુ અને વાસ્તવિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. ખાસ કરીને કેમ અયોગ્ય અથવા મૂર્ખ લોકો ઘણીવાર સત્તામાં આવે છે. મેકિયાવેલીના મતે સત્તા મેળવવાની પ્રક્રિયા નૈતિકતા કે બુદ્ધિ પર નહીં પરંતુ ચાલાકી, શક્તિના ઉપયોગ અને રાજકીય વ્યૂહરચના પર આધારિત છે. Nikolo-Makijaveli1

મેકિયાવેલી માને છે કે મનુષ્યની મૂળ પ્રકૃતિ સ્વાર્થી અને લોભી હોય છે અને આ પ્રકૃતિ રાજકારણમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. સત્તા મેળવવા માટે નેતાઓએ લોકોની લાગણીઓ, ભય અને ઈચ્છાઓનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રક્રિયામાં બુદ્ધિશાળી અથવા નૈતિક વ્યક્તિઓ ઘણીવાર પાછળ રહી જાય છે કારણ કે તેઓ વધુ પ્રમાણિક અથવા આદર્શવાદી હોય છે જે રાજકીય ષડયંત્રોમાં અવરોધરૂપ બને છે. બીજી તરફ ચતુર અને નીચ વ્યૂહરચના અપનાવનારા લોકો જેઓ નૈતિકતાને બાજુએ મૂકીને લોકોની નબળાઈઓનો લાભ લે છે તેઓ સરળતાથી સત્તા હાંસલ કરી લે છે. 

મેકિયાવેલી માટે નસીબ અને કૌશલ્ય સત્તા મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નસીબ, અણધારી ઘટનાઓ અથવા સંજોગો ઘણીવાર અયોગ્ય લોકોને સત્તા તરફ દોરી જાય છે, જ્યારે ચાલાકી, નિર્ણય લેવાની ક્ષમતા અને અવસરોનો લાભ લેવાની કળા તેમને સત્તામાં ટકાવી રાખે છે. મેકિયાવેલીની દૃષ્ટિએ એ લોકો નૈતિક નિયમો ના પાળે, લોકોના ભય અને લાલચનો ઉપયોગ કરી સત્તા હાંસલ કરે છે.

Nikolo-Makijaveli

આમ મેકિયાવેલીના મતે સત્તા પ્રાપ્તિ બુદ્ધિ કે નૈતિકતા પર નહીં પરંતુ રાજકીય ચાલાકી, લોકોની નબળાઈઓના શોષણ અને નસીબના સંયોગ પર આધારિત છે. આ કારણે અયોગ્ય અથવા મૂર્ખ લોકો ઘણીવાર સત્તામાં આવે છે કારણ કે તેઓ નીચેના સ્તરે ઉતરીને રાજકીય રમત રમવામાં સફળ થાય છે.

error: Content is protected !!