
પ્રાંતિજ ધોરણ-૧૧ મા અભ્યાસ કરતી વિધાર્થીનીનુ ખેચ ને લઈ ને મોત
- હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ
- પરિવાર સંગાસંબધીઓ , શાળા પરિવાર સહિત પ્રાંતિજ માં શોકનું મોજુ ફરીવળ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ધોરણ-૧૧ મા અભ્યાસ કરતી વિધાર્થીની ને ખેચ આવતા હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવી હતી જયા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ


પ્રાંતિજ તપોધન ફડી ખાતે રહેતી અને પ્રાંતિજ શેઠ.પીએન્ડઆર હાઇસ્કુલ માં ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વિધાર્થીની રાવલ જાનવી વિપુલકુમાર ને પોતાના ધરે સવારે અચાનક ખેચ આવતા તેને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા મા આવી હતી જયા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ બાળકી ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ , શાળા પરિવાર સહિત પ્રાંતિજ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
