
-copy15.jpg?w=1110&ssl=1)
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા પછી હવે 9 સપ્ટેમ્બર 2025ના દિવસે ચૂંટણી થવાની છે. NDA અને INDIA ગઠબંધને તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મત કોણ આપે અને ચૂંટણી જીતવાનું ગણિત શું છે તે અમે સમજાવીશું.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભા સાંસદો મત આપે. લોકસભામાં કુલ 543 અને રાજ્યસભામાં 245 સાંસદો છે. લોકસભામાં એક સીટ ખાલી છે અને રાજ્યસભામાં 5 ખાલી છે. એટલે કુલ મતદોરોની સંખ્યા 782 છે. જીત માટે 392 મત હોવા જરૂરી છે.
NDA પાસે લોકસભા અને રાજ્યસભા મળીને કુલ 422 સાસંદો છે જ્યારે INDIA ગઠબંધન પાસે 336 છે.
આંકડાની દ્રષ્ટ્રિએ NDAના ઉમેદવારની જીત લગભગ નક્કી છે, પરંતુ ક્રોસ વોટીંગ થાય તો પરિણામ જુદુ આવી શકે છે.