
સિંચાઈ અને પૂર નિયંત્રણ (I&FC) વિભાગને દિલ્હીમાં પૂરને નિયંત્રિત કરવા માટે 150 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ રિપોર્ટ દર્શાવે છે કે 31 ઓગસ્ટ સુધી એક પણ પૈસો ખર્ચવામાં આવ્યો નથી. 13 મોટા સરકારી વિભાગો અને કેટલાક નાના વિભાગોના મૂડી ખર્ચના તાજેતરના અહેવાલમાંથી આ માહિતી પ્રકાશમાં આવી છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સરકાર સમયાંતરે એક અહેવાલ પ્રકાશિત કરે છે કે, પ્રોજેક્ટ પર કેટલું કામ થયું અને કેટલા પૈસા ખર્ચાયા. આ અઠવાડિયાની શરૂઆતમાં, મુખ્ય સચિવે તમામ વિભાગના વડાઓની બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે બજેટનો ઝડપથી ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી સમીક્ષા બેઠકો હવે નિયમિતપણે યોજવી જોઈએ. I&FC મંત્રી સાહિબ સિંહે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ વર્ષે યમુના નદીનું પાણીનું સ્તર 207 મીટર વધ્યું હતું. તેના કારણે ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ જામ થઈ ગયા હતા. લોકોને રાહત શિબિરોમાં આશરો લેવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ પૂર અને પાણીના નિકાલની વ્યવસ્થા I&FC વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. આ વિભાગને 2025-26 માટે 313 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું હતું, જેમાંથી અત્યાર સુધી માત્ર 14 ટકા જ ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મૂડી ખર્ચ અહેવાલ મુજબ, 13 મોટા વિભાગો અને કેટલાક નાના વિભાગોને કુલ 28,115 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી ફક્ત 5,902 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. એટલે કે કુલ બજેટના લગભગ 21 ટકા. મૂડી ખર્ચ એટલે તે નાણાં, જે સરકાર વિભાગોને રસ્તા, હોસ્પિટલો, ગટર જેવા પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવા માટે આપે છે. જે દર્શાવે છે કે સરકારમાં કામની ગતિ કેટલી છે.
આ 13 મોટા વિભાગોમાં PED, શહેરી વિકાસ, પરિવહન, આરોગ્ય અને I&FCનો સમાવેશ થાય છે. જ્યારે, શહેરી વિકાસ વિભાગ (UD)ની સ્થિતિ થોડી સારી છે. આ વર્ષે તેને 5,039 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 55 ટકા રકમ ખર્ચ કરવામાં આવી છે. આ વિભાગ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ માટે MCD અને દિલ્હી જલ બોર્ડ (DJB)ને પૈસા અને લોન આપે છે.

આ ડેટા એ પણ દર્શાવે છે કે, આરોગ્ય ક્ષેત્ર, જે ભાજપ સરકારના સૌથી મોટા ફોકસ ક્ષેત્રોમાંનું એક છે, તેણે 2025 માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ફાળવવામાં આવેલા રૂ. 753 કરોડના બજેટના માત્ર 2 ટકા જ ખર્ચ કર્યા છે.