
GST કાઉન્સીલે તાજેતરમાં સ્લેબ અને રેટમાં ઘટાડાની જાહેરાત કરી તેની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. પ્રાઇસ વોટર કુપર્સના પૂર્વ સલાહકાર શરણ હેગડેએ આ વિશે કહ્યું છે કે, GST ઘટાડવાને કારણે સરકારને 48000 કરોડ રૂપિયાનું નુકશાન જશે, પરંતુ સામાન્ય લોકો આ ઘટાડાને કારણે અમીર બની શકે છે.
હેગડેએ કહ્યુ કે, નવી સીસ્ટમને કારણે સરેરાશ ભારતીયોનો રોજિંદો ખર્ચ ઘટશે જેનાથી પૈસા બચાવી શકાશે, તમારા સપના પુરી કરી શકાશે અને તમે ધનવાન પણ બની શકો છો.
તેમણે કહ્યુ કે, તમે કલ્પના કરો કો તમારા ACના બિલમાં 10 ટકા ઘટાડો થશે તેનાથી તમારા કારના EMIનું આખું કેલ્કેલ્યુશન બદલાઇ જશે. લોકોના પૈસા બચશે. ખરીદ શક્તિ વધશે, બજારમાં તેજી આવશે અને સરકારનું ટેક્સ કલેકશન પણ વધશે.