દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના બંધ મકાનમાંથી દસ લાખના દાગીના અને દોઢ લાખ ની રોકડ રકમ લઈને તસ્કરો ફરાર



ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણ ના મુવાડા ગામે આવેલા રણછોડરાયના મંદિરની બાજુમાં રહેતા ચિંતનભાઈ શાહ તેઓ દસ દિવસ માટે ઘરે તારું મારીને અમદાવાદ રહેતા તેમના ભાઈના ઘરે દીકરી નો જન્મ થયો હોવાથી આંખો પરિવાર ત્યાં રહેવા ગયો હતો તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી સવારે ચિંતનભાઈ ને ફોન ઉપર જાણવા મળ્યું હતું કે તેમનો પરિવાર તાત્કાલિક અમદાવાદથી દેવકરણના મુવાડા આવ્યો હતો અને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાના નક્કુચા તોડીને તસ્કરો અંદર પ્રવેશીને તિજોરી તથા મંદિરના ખાનામાંથી સોના ચાંદીના દાગીના તથા અને 9 થી 10 તોલા જેટલા સોનાના દાગીના તેમજ દોઢ કિલો ચાંદી દોઢ લાખ રોકડ રકમ લઈને તસ્કરો ભાગી ગયા હતા આ બનાવવાની જાણ દહેગામ ના પીઆઇ વી બી દેસાઈ ને થતા તાત્કાલિક તેમના સ્ટાફ સાથે ઘટના થરે પહોંચી ગયા હતા અને મકાનની તલાસી લઈને ચોરીનો ભેદ ઉકેલવા માટે તેમની ટીમને સક્રિય બનાવી દીધી છે
અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ