પ્રાંતિજ ના બોરીયા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
* બોરીયા ગામ સહિત આજુબાજુ માંથી ૭૦૫ દર્દીઓએ લાભ લીધો
* ૩૦૩ વ્યક્તિઓએ ફ્રી મા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
* ૧૧૨ દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બોરીયા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં બોરીયા ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓને લાભ લીધો હતો




પ્રાંતિજ તાલુકાના બોરીયા ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષ નો ચોથો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બોરીયા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ- ૭૦૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૦૩ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૧૧૨ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળ બનાવવા માટે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો તો શાળા ના આચાર્ય તથા આંખના મદદનીશ ટીમ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા

