fbpx

‘જન ગન મન’ને રાષ્ટ્રગાન અને ‘વન્દે માતરમ્’ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

Spread the love

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા હોય છે. તેમજ આ અવસર પર ખાસ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત પણ ગાવામા આવે છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું કયારેય તે વિચાર્યુ છે કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના પાછળની ગાથા શું છે? કઈ રીતે ”જન ગન મન”ને રાષ્ટ્રગાન અને ”વન્દે માતરમ્”ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવાxમા આવ્યો હતો. જો તમને આ વિશે જાણકારી નથી તો આજે અમે તમને આ વિશે વિસ્તારમાં જણાવીશુ.

સૌ પ્રથમ વાત કરીએ રાષ્ટ્રગાનની

આ વિશે કોઈને પુછો કે તમે રાષ્ટ્રગાન વિશે શું જાણો છો તે જણાવશે કે ”જન ગન મન” ત્યારથી ગાવામાં આવી રહ્યુ છે જ્યારે સ્કૂલમાં ગાવામા આવતુ હતુ અથવા પછી તેને રવીંદ્રનાથ ટાગોરે લખ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રગાન વર્ષ 1905મા બંગાળી ભાષામા લખવામાં આવ્યુ હતુ. 27 ડિસેમ્બરમા 1911ના રોજ સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસની કોલકતા સભામા ગાવામા આવ્યુ હતુ. તે સમયે બંગાળના બહારના લોકો આ વિશે જાણતા નહોતા. બંધારણીય સભાએ ”જન ગન મન”ને ભારતના રાષ્ટ્રગાનના રૂપમા 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર્યુ હતુ.

02

અર્થના કારણે બન્યુ રાષ્ટ્રગાન

રાષ્ટ્રગાન પોતાના અર્થના કારણથી બનવવામા આવ્યુ હતુ. તેમના કેટલાક અંશોનો અર્થ થાય છે કે ભારતનો નાગરિક, ભારતની જનતા પોતાના મનથી તમને ભારતના નસીબ નિર્મતા સમજે છે. હે અધિનાયક (સુપર હીરો) તમે ભારતના ભાગ્ય વિધાતા હોય. તેમની સાથે જ તેમા દેશના અલગ-અલગ રાજ્યોનો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો અને તેમની શુભેચ્છાઓ વિશે જણાવવામા આવે છે.

રાષ્ટ્રગાનને સંપૂર્ણ ગાવામાં 52 સેકેન્ડનો સમય લાગે છે જ્યારે તેમની સંસ્કરણ ચલાવવાનો સમયગાળો આશરે 20 સેકન્ડ છે. રાષ્ટ્રગાનમા 5 પદ છે. રવીંદ્રનાથ ટાગોરે રાષ્ટ્રગાને ન ફકત લખ્યુ પરંતુ તેમણે ગાયુ પણ હતુ. તેને આંધ્ર પ્રદેશનો એક નાના જિલ્લો મદનપિલ્લૈમા ગાવામા આવ્યુ હતુ.

રાષ્ટ્રગીત વંદે માતરમ્

આ વાતથી ઘણા ઓછા લોકો જ અજાણ હશે કે ”વંદે માતરમને”પહેલા રાષ્ટ્રગાન બનાવવાની વાત કહેવામા આવી રહી હતી, પરંતુ પછી તેને રાષ્ટ્રગીત બનાવવાનો નિર્ણય કરી લીધો કારણ કે તેમની શરૂઆતી ચાર લાઈન દેશને સમર્પિત છે અન્ય લાઈન બંગાળી ભાષામા અને માતા દુર્ગાની સ્તુતિ કરવામા આવી છે. આવો જાણીએ કે વંદે માતરમ્ ભારતનુ રાષ્ટ્રગીત છે, પરંતુ શું તમે જાણો છો કે તેને રાષ્ટ્રગાન ન બનાવી રાષ્ટ્રગીત કેમ બનાવવામા આવ્યુ હતુ.

આ છે ઈતિહાસ

વંદે માતરમને વર્ષ 1875માં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળી ભાષામા લખ્યુ હતુ. તેમણે વર્ષ 1881મા પોતાની નોવલ આનંદમઠમા પણ સ્થાન આપ્યુ હતુ. તેને પહેલીવાર આજ રાજકીય સંદર્ભમા રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના 1896ના સમયગાળામા ગાયુ હતુ.

તેમજ જો બંગાળી ભાષાને ધ્યાન રાખવામા આવે તો તેમનુ શીર્ષક ”વંદે માતરમ” નહીં પરંતુ વંદે માતરમ હોવુ જોઈએ કારણ કે હિન્દી અને સંસ્કૃત ભાષામાં ”વંદે” શબ્દ જ સાચો છે, પરંતુ આ ગીત મૂળ રૂપથી બંગાળી ભાષામા લખવામા આવ્યુ હતુ અને બંગાળી લિપિમા ”વ” અક્ષર છે જ નહીં એટલા માટે બંકિમ ચંન્દ્ર ચટ્ટોપાધ્યાયે તેને ‘બન્દે માતરમ જ લખ્યુ હતુ.”

જાણો શું છે વંદે માતરમ્ નો મતલબ 

સંસ્કૃતમા ”વંદે માતરમ્” નો કોઈ શબ્દાર્થ નથી અને વંદે માતરમ્ કહેવાથી માતાની વંદના કરુ છું એવો અર્થ નીકળ્યો છે, એટલા માટે દેવનગરી લિપિમા તેને વંદે માતરમ્ કહેવામા આવ્યુ હતુ.

Who Wrote Vande Mataram? The History Behind India's National Song

આવી રીતે રાષ્ટ્રીય ગીતની રચના

બંકિમચંદ્રે જ્યારે આ ગીતની રચના કરી ત્યારે ભારત પર બ્રિટીશ શાસકનો દબદબો હતો. બ્રિટેનનુ એક ગીત હતુ ” ગોડ! સેવ ધ ક્વીન”. ભારતમા દર સમારોહમા આ ગીતને જરૂરી કરી દેવામા આવ્યુ. બંકિમચંદ્ર તે સમયે સરકારી નોકરી કરી રહ્યા હતા. બ્રિટીશની વર્તનથી બંકિમને અત્યંત ખોટુ લાગ્યુ અને તેને વર્ષ 1876માં એક ગીતની રચના કરી અને તેમનુ શીર્ષક આપ્યુ ”વંદે માતરમ્”

error: Content is protected !!