fbpx

શું ગંભીરનું પત્તું કપાવાનું છે અને લક્ષ્મણ નવા કોચ બનવાના છે? BCCIએ આપ્યો જવાબ

Spread the love
શું ગંભીરનું પત્તું કપાવાનું છે અને લક્ષ્મણ નવા કોચ બનવાના છે? BCCIએ આપ્યો જવાબ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખાસ કઈ સારું રહ્યું નથી. તાજેતરમાં જ, ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે, ગયા વર્ષે ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે પણ 0-3થી હારી ગયું હતું.

ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમને ટેસ્ટ કોચ તરીકે દૂર કરવામાં આવી શકે છે. તેની સાથે જ, જો 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ન ઉતરે, તો તેમના કરાર પર પુનર્વિચાર કરવામાં આવશે. ગંભીરનો કરાર 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ચાલવાનો છે.

Gautam-Gambhir3

હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગૌતમ ગંભીરને લગતી ચાલી રહેલી આ અટકળો અંગે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગૌતમ ગંભીરને રેડ-બોલ (ટેસ્ટ) કોચના પદ પરથી દૂર કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ અહેવાલો માત્ર અફવાઓ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, દેવજીત સૈકિયાએ આ અહેવાલોને ફગાવી દેતા કહ્યું કે, ‘ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ પદ અંગે કોઈ ચર્ચા થઈ નથી, કે અન્ય કોઈ કોચનો સંપર્ક કરવામાં આવ્યો નથી. આવી બધી અટકળો માત્ર એક અફવા છે.’

Gautam-Gambhir1

BCCI સચિવે એ પણ સ્પષ્ટતા કરી કે, ગૌતમ ગંભીર તેમના વર્તમાન કરાર હેઠળ ટીમ ઈન્ડિયા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. બોર્ડ હાલમાં કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના ધરાવતું નથી. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતી ચર્ચાઓ અને ગંભીરના રિપ્લેસમેન્ટ અંગેના કેટલાક અહેવાલો પાયાવિહોણા છે.

એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી તરત જ, BCCIના એક અધિકારીએ VVS લક્ષ્મણનો અનૌપચારિક સંપર્ક કર્યો હતો, જેથી કરીને તપાસ કરી શકાય કે શું તેમને ટેસ્ટ ટીમના કોચિંગ કરવા માટે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મણ તેમની વર્તમાન જવાબદારીઓથી ખૂબ ખુશ છે. અહીં તમને બતાવી દઈએ કે, લક્ષ્મણ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ક્રિકેટના વડા તરીકે સેવા આપે છે.

Gautam-Gambhir3

BCCIના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું છે કે, બોર્ડ ગૌતમ ગંભીરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને કોચિંગ સેટઅપમાં કોઈપણ પ્રકારના ફેરફારની જરૂર જોતું નથી. ગંભીર હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કોચ રહેશે, અને તેમના ભવિષ્યને લગતી બધી અટકળો પાયાવિહોણી છે.

error: Content is protected !!