
ભાજપ અને પાટીદાર સમાજના નેતા વરૂણ પટેલ પાટીદાર સમાજમાંથી આવતા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને બચાવવા મેદાનમાં આવ્યા છે. વરૂણ પટેલે કહ્યુ કે, સુરેન્દ્રનગરમા રહી ગયેલા બધા કલેકટરનો રેકોર્ડ કઢાવો, કોણે કેટલી જમીન N.A. કરી અને પછી આઇટીની ટીમ મોકલો.
વરૂણ પટેલે આરોપ લગાવ્યો કે, 2016થી 2026 સુધીમાં દર મહિને 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો અને વર્ષનો ગણીએ તો 6000 કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. વરૂણે કહ્યું કે અમે રોજ એક અધિકારીના ભ્રષ્ટ્રાચારના આંકડા રજૂ કરીશું દર અઠવાડીયે નોન-ગુજરાતી અધિકારીઓના ભ્રષ્ટ્રાચારના આંકડા પણ આપીશું. અમે મોટા માણસો સામે લડી રહ્યા છે તો અમને જેલમાં પણ નાંખી દેશે એવી અમને ખબર છે એમ પટેલે કહ્યું હતું.
