પ્રાંતિજના તાજપુર ખાતે રેવન્યુ વિભાગના એ.સી.એસ. જયંતિ રવિ એસે ગ્રામ પંચાયત દફ્તર તપાસણી કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિ એસ. અને મહેસૂલ તપાસણી કમિશ્નર રાજેશ માંજુ , સેટલમેન્ટ કમિશ્નર બિજલ શાહે ગ્રામ પંચાયત દફ્તર તપાસણી કરી હતી





આ તપાસણીમાં મહેસૂલી ગામ નમૂના ૧ થી ૧૮ , ગૌચર જમીન , ગામના જમીનના નકશા , તલાટી મેન્યુઅલની તપાસ, મિલકતની નોંધ, આકારણી રજીસ્ટર , વસૂલાત સહિત ના રજીસ્ટરની ચકાસણી કરી હતી તેમજ ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી આ સાથે ગામના ખેડૂત ખાતેદાર ની જમીનના ક્ષેત્રફળની તપાસ કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ , નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા , પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી આયુષી જૈન , હિંમતનગર પ્રાંન્ત વિમલ ચૌધરી , ડીએલ.આઈ.આર. સાધુ , ગામના સરપંચ , ડે. સરપંચ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
જીલ રાવલ સાબરકાંઠા
