fbpx

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા…

Spread the love

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી ગઈ છે, અને તેઓ નેતૃત્વથી નાખુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બજેટ સત્ર અંગે, મંગળવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક યોજાઈ હતી. તેઓ ફરીથી આ બેઠકમાં ગેરહાજર રહ્યા. થરૂર સિવાય પક્ષના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ વખતે થરૂરે તેમણે ગેરહાજરી પાછળ મુસાફરીને કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ દુબઈથી દિલ્હી આવી રહ્યા હતા અને હાલમાં ફ્લાઇટમાં છે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘હું દુબઈથી દિલ્હીની ફ્લાઇટમાં છું, જે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ઉતરશે. મારી ઓફિસે પાર્ટીમાં દરેકને આ વિશે જાણ કરી દીધી હશે.’ આ પહેલી વાર નથી; આ અગાઉ પણ થરૂર આવું કરી ચૂક્યા છે.

Shashi-Tharoor1

શું શશિ થરૂર કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે?

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ પાર્ટીમાં શશિ થરૂરને લઈને સ્થિતિ સારી ચાલી રહી નથી. આવું એટલે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમની અને હાઈકમાન્ડ વચ્ચે બાબતો સારી ચાલી રહી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. તાજેતરના દિવસોમાં, થરૂરે પાર્ટીની ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકોમાંથી પોતાને દૂર રાખ્યા છે. તેમની આ ઉદાસીનતાને કારણે વિવિધ અટકળો શરૂ થઈ છે.

પ્રશ્ન એ છે કે શું શશિ થરૂરે ખરેખર કોંગ્રેસ પાર્ટીથી દૂરી બનાવી લીધી છે? બજેટ સત્રને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાની સતત યોજના બનાવી રહ્યો છે, અને થરૂરને તેનાથી કોઈ મતલબ નથી. તેઓ તેનાથી માઈલો દૂર હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસની બેઠક યોજાય છે, ત્યારે થરૂર હાજરી આપતા નથી. આ દરમિયાન, તેઓ ક્યારેક અન્ય કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે અથવા મુસાફરી કરતા હોય છે.

Shashi-Tharoor

બેઠકમાં કોણે-કોણે હાજરી આપી?

બજેટ સત્રને લઈને સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પી ચિદમ્બરમ, પ્રમોદ તિવારી, મનીષ તિવારી, રજની પાટિલ, મણિકમ ટાગોર, તારિક અનવર અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!