fbpx

ઉત્તર પ્રદેશના આ ગામમાં નથી થતું હોલિકા દહન; મહાભારત કાળ સાથે જોડાયેલી છે આખી કહાની

Spread the love

ઉત્તર પ્રદેશના આ ગામમાં નથી થતું હોલિકા દહન; મહાભારત કાળ સાથે જોડાયેલી છે આખી કહાની

સહારનપુર શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલું બરસી ગામ, તેની અનોખી અને હજારો વર્ષ જૂની પરંપરાને કારણે દર વર્ષે હોળી દરમિયાન ચર્ચામાં રહે છે. અહીં રંગ-ગુલાલ સાથે હોળી તો ઉજવવામાં આવે છે, પરંતુ ગામમાં હોલિકા દહન કરવામાં આવતું નથી. ગ્રામજનોના મતે, આ પરંપરા મહાભારત કાળથી ચાલતી આવી રહી છે.

holi1

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે ગામની પશ્ચિમ ધાર પર સ્થિત પ્રાચીન શિવ મંદિરમાં રહે છે, અને જો ગામમાં હોલિકા દહન કરવામાં આવે છે, તો તેની આગથી ભગવાન શિવના પગ સળગે છે. આ માન્યતાને કારણે, બરસી ગામમાં આજ સુધી હોલિકા દહનની વિધિ કરવામાં આવતી નથી.

sihv-Tample

ગામમાં પરસ્પર ભાઈચારો અને પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવે છે, પરંતુ હોલિકા દહન માટે ગામની પરિણીત દીકરીઓ અને મહિલાઓ નજીકના ગામમાં જઈને પૂજા કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે બરસી ગામમાં સ્થિત શિવ મંદિર મહાભારત કાળનું સિદ્ધપીઠ માનવામાં આવે છે, જ્યાં પ્રાચીન કાળથી સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરને લઈને ઘણી લોકકથાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર, આ મંદિર કૌરવોના પુત્ર દુર્યોધન દ્વારા બનાવવામાં આવ્યું હતું.

holi

દંતકથા અનુસાર, જ્યારે પાંડવોના પુત્ર ભીમે જ્યારે સવારના સમયે જોયું કે આ મંદિર કૌરવો દ્વારા બનાવવામાં આવ્યું છે, ત્યારે તેમણે પોતાની ગદાથી મુખ્ય દ્વાર પર પ્રહાર કરીને તેનું મુખ પૂર્વથી પશ્ચિમ તરફ કરી દીધું. આ જ કારણ છે કે આ મંદિરને પશ્ચિમમુખી શિવ મંદિર માનવામાં આવે છે.

ગ્રામજનોનો વિશ્વાસ છે કે આ પરિવર્તન માત્ર સ્થાપત્ય જ નહીં, પરંતુ ગામના રક્ષણ અને ધાર્મિક સંતુલન સાથે પણ સંબંધિત છે. બીજી એક લોક માન્યતા અનુસાર, કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણ પણ આ ગામમાં રોકાયા હતા અને આ સ્થળને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપ્યું હતું. સમય સાથે આ જ માન્યતાથી ગામનું નામ બરસી પડી ગયું.

barsi-village

ગ્રામજનોનું કહેવું છે કે સમય બદલાઇ રહ્યો છે છતા, બરસી ગામ તેની પરંપરાઓ પર અડગ છે. હોળીના રંગો અને ઉલ્લાસ વચ્ચે, અહીં હોલિકાને ન બાળીને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે. આ જ કારણ છે કે બરસી ગામની ઓળખ આજે પણ એ અનોખી માન્યતા સાથે જોડાયેલી છે, જેમાં કહેવામાં આવે છે કે હોલિકા દહનની અગ્નિથી ભગવાન શિવના પગ બળે છે, એટલે આ ગામમાં હોલિકા દહન કરવામાં આવતી નથી.

error: Content is protected !!