
આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ સલાહ આપી છે કે આ ક્ષેત્રમાં કામ કરશો તો AIની અસર નહીં પડશે. આ પ્રવૃતિઓ પૈસા માટે નહીં પરંતુ પ્રેમ, આત્મ સંતોષ, માનવતા, આધ્યાત્મિકતા માટે છે.
વેંમ્બુએ કહ્યું છે કે, ડે કેર સેન્ટર શરૂ કરો, કોઇ હેતુ પૂર્વકનું શિક્ષણનું કામ શરૂ કરો, વૃદ્ધોની દેખભાળ કરવાનું કામ શરૂ કરો, સારા પગારવાળી નોકરી છોડીને ખેતીના કામમાં લાગી જાઓ, જંગલ સાથે પ્રેમ હોય તો રેન્જરની નોકરી મેળવો, સ્થાનિક મંદિરમાં પૂજારીનૂં કામ મેળવી લો, ક્લાસીકલ મ્યુઝીશ્યન બનો.
વેમ્બુનું કહેવું છે કે, આ એવા ક્ષેત્રો છે જ્યાં ભવિષ્યમાં AI જોરશોરથી આવે તો પણ કોઇ અસર થશે નહીં.
