fbpx

આવી પત્ની કોઈને ન મળે… પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું પછી લૂંટની વાર્તા બનાવી રડવા બેસી

Spread the love
આવી પત્ની કોઈને ન મળે... પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું પછી લૂંટની વાર્તા બનાવી રડવા બેસી

મધ્યપ્રદેશના ધારના ગોંડીખેડી ચરણ ગામમાં થયેલી લૂંટ અને હત્યાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી. એક વેપારીની તેના ઘરમાં હત્યા કરવામાં આવી અને લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે, પતિની હત્યા અને લૂંટની વાર્તા આંસુઓથી સંભળાવનાર પત્ની આખી ઘટના પાછળની મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું. ઇન્દોરમાં રાજા રઘુવંશી હત્યાની જેમ, અહીં પણ પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી. ત્યારપછી તેઓએ આ ઘટનાને લૂંટ જેવી દેખાડવાનો પ્રયાસ કર્યો. પ્રિયંકાએ તેના પ્રેમી કમલેશ સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

Gondikheda-Charan-Murder

ગુનો કર્યા પછી, પ્રિયંકાએ ખોટી વાર્તા બનાવી. તેણે પોલીસને જણાવ્યું કે અજાણ્યા હુમલાખોરો રાત્રે ઘરમાં ઘૂસી ગયા અને તેમને અલગ-અલગ રૂમમાં બંધક બનાવી લીધા. ત્યારપછી તેઓએ 3 લાખ રૂપિયાના દાગીના અને 50,000 રૂપિયા રોકડા લૂંટીને લઇ ગયા. જ્યારે પતિએ પ્રતિકાર કર્યો, ત્યારે તેઓએ તેની હત્યા કરી. પરંતુ પોલીસે માત્ર છ કલાકમાં જ આ આખી વાર્તાને ખોટી સાબિત કરી બતાવી.

આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, દેવકૃષ્ણ અને પ્રિયંકાના લગ્ન નાની ઉંમરે (15 વર્ષ) થયા હતા. લગ્ન પછી પ્રિયંકા ઘણી વખત ઘરથી દૂર રહેતી હતી અને તેની સમાજના કમલેશ નામના વ્યક્તિ સાથે અફેર કરતી હતી. પ્રિયંકા તેના માતાપિતાના ઘરેથી માત્ર પાંચ-છ દિવસ પહેલા જ પાછી આવી હતી. શંકા છે કે ગુનો ત્યાં જ આયોજિત કરવામાં આવ્યો હતો.

Gondikheda-Charan-Murder1

પોલીસને શરૂઆતથી જ પત્ની પર શંકા હતી. મોડી રાત્રે જ્યારે પ્રિયંકાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલ્યો. પ્રિયંકાએ પોલીસને જણાવ્યું કે, તેણે તેના પ્રેમી કમલેશ સાથે મળીને તેના પતિને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ તેની હત્યા કર્યા પછી સાથે રહેવા માંગતા હતા.

પોલીસ અધિક્ષક મયંક અવસ્થીના નેતૃત્વમાં આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પ્રિયંકાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો. પ્રિયંકા વારંવાર તેના નિવેદનો બદલી રહી હતી, અને તેનો મોબાઇલ ફોન પણ ગાયબ હતો. આ ઉપરાંત, દેવકૃષ્ણના માથા પરનો ઊંડો ઘા અસામાન્ય લાગતો હતો, જે ઝઘડા તરફ ઈશારો કરે છે. પોલીસને ઘટનાસ્થળે એવી વસ્તુઓ પણ મળી આવી હતી જેનાથી શંકા હતી કે આરોપી પ્રેમી અને પ્રેમિકાએ હત્યા પછી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

Gondikheda-Charan-Murder2

SP મયંક અવસ્થીએ જણાવ્યું હતું કે, આ ઘટના લૂંટ નહીં, પરંતુ પૂર્વયોજિત હત્યા હતી. પોલીસે આ કેસમાં પત્ની અને તેના પ્રેમી સહિત બે શંકાસ્પદોની અટકાયત કરી છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!