
ભારતમાં અમીર વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારત હવે તેની અતિ-અમીર વસ્તીની દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આગામી વર્ષોમાં આ આંકડો વધુ ઝડપથી વધવાની ધારણા છે. એક અહેવાલ મુજબ, ભારતમાં આર્થિક વૃદ્ધિ, ટેકનોલોજી ક્ષેત્ર અને રોકાણની તકોના વિસ્તરણને કારણે ભારતમાં ધન સંપત્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, 2026 સુધીમાં ભારતમાં 19,877 વ્યક્તિઓ એવા છે, જેમની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડો વૈશ્વિક UHNWI વસ્તીના 2.8 ટકા જેટલો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ હિસ્સો 2 ટકાથી વધીને 2.8 ટકા થયો છે. ભવિષ્યમાં આ સંખ્યા વધુ વધવાનો અંદાજ છે. વર્ષ 2031 સુધીમાં ભારતમાં UHNWIની સંખ્યા 27 ટકા વધીને 25,217 વ્યક્તિઓ સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે UHNWI અથવા ultra-high net worth individual, એ વ્યક્તિગત હોય છે, જેમની પાસે 30 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ છે.

વૈશ્વિક સ્તરે પણ શ્રીમંત વ્યક્તિઓની વસ્તીમાં વધારો થયો છે. 2021માં, વૈશ્વિક UHNWI સંખ્યા 5,50,000 હતી; જે હવે 2026 સુધીમાં વધીને 710,000 થઈ ગઈ છેએટલે કે, સરેરાશ, દરરોજ આશરે 89 નવા અતિ-શ્રીમંત વ્યક્તિઓ આ રેન્કમાં જોડાયા છે.
મુંબઈ એ શહેર છે જ્યાં સૌથી વધુ શ્રીમંત લોકો રહે છે. અહી 35.4 ટકા અમીર લોકો રહે છે. આ યાદીમાં બીજા ક્રમે દિલ્હી આવે છે અને ત્યારબાદ બેંગલુરુ ત્રીજા સ્થાને છે. સંપૂર્ણ રેન્કિંગ નીચે મુજબ છે:
મુંબઈ- 35.4% (પહેલાં 41.3%)
દિલ્હી- 22.8% (વધારો થયો)
બેંગલુરુ- 10.6%
હૈદરાબાદ- 6.3%
ચેન્નઈ- 4.8%

અતિ-શ્રીમંત વસ્તીવાળા ટોચના દેશો
અતિ-શ્રીમંત વસ્તીની દૃષ્ટિએ ભારત છઠ્ઠા ક્રમે છે. તો આ શ્રેણીમાં અમેરિકા પહેલા ક્રમે છે. યાદી નીચે મુજબ છે:
અમેરિકા- 251,357
ચીન- 121,677
જર્મની- 38,215
UK- 27,876
ફ્રાન્સ- 21,518
ભારત- 19,877
જાપાન- 18,914
ભારતમાં અબજપતિઓની સંખ્યા
UHNWI સાથે-સાથે, ભારતમાં અબજપતિઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 2026માં આ આંકડો 207 અબજપતિઓનો છે, જે છેલ્લા 5 વર્ષમાં 58% વધ્યો છે. 2031 સુધીમાં આ સંખ્યા 51% વધીને 313 સુધી પહોંચવાનો અંદાજ છે.