fbpx

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

Spread the love

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના અંદાજે 24 લાખ ઉમેદવારો પર સીધી અસર પડી છે. NTA એ આ અંગે વિસ્તૃત નિવેદન જાહેર કરીને પરીક્ષા રદ કરવાના કારણો અને ભવિષ્યના પગલાંની જાણકારી આપી છે.

પરીક્ષા રદ કરવાનો નિર્ણય કેમ લેવાયો?

NTA એ જણાવ્યું હતું કે 10 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદીના અનુસંધાનમાં, કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 8 મેના રોજ આ મામલો સ્વતંત્ર તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવેલા તપાસના તારણો અને ઇનપુટ્સના આધારે જાણવા મળ્યું છે કે પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમમાં હતી. સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી, ભારત સરકારની મંજૂરી સાથે NTA એ 3 મેની પરીક્ષા રદ કરવાનો અને ફરીથી પરીક્ષા (Re-conduct) યોજવાનો નિર્ણય લીધો છે.

04

CBI તપાસના આદેશ

સરકારે આ મામલે લાગેલા તમામ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. NTA એ ખાતરી આપી છે કે તેઓ તપાસમાં બ્યુરોને સંપૂર્ણ સહકાર આપશે અને તમામ જરૂરી રેકોર્ડ્સ અને પુરાવાઓ ઉપલબ્ધ કરાવશે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી

વિગતમાહિતી
નવી પરીક્ષાની તારીખટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
નોંધણી (Registration)જૂની નોંધણી જ માન્ય રહેશે, નવા રજીસ્ટ્રેશનની જરૂર નથી.
પરીક્ષા ફીકોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં; અગાઉ ભરેલી ફી પરત (Refund) કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોમે 2026 ના સાયકલ દરમિયાન પસંદ કરેલા કેન્દ્રો જ રાખવામાં આવશે.
એડમિટ કાર્ડનવું શેડ્યૂલ જાહેર થયા બાદ ફરીથી એડમિટ કાર્ડ ઇસ્યુ કરાશે.

એજન્સીએ સ્વીકાર્યું છે કે પરીક્ષા ફરીથી લેવાના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, NTA એ સ્પષ્ટતા કરી છે કે “રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય અનિવાર્ય હતો. જો પરીક્ષા રદ ન કરવામાં આવી હોત, તો તે લાંબા ગાળે શિક્ષણ વ્યવસ્થાના ભરોસાને વધુ નુકસાન પહોંચાડી શકી હોત.

NTA એ તમામ ઉમેદવારો અને વાલીઓને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર વહેતા થતા બિન-ચકાસાયેલ અહેવાલો કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. નવી પરીક્ષાની તારીખો અને હોલ ટિકિટ સંબંધિત તમામ માહિતી માત્ર એજન્સીની સત્તાવાર ચેનલો દ્વારા જ મેળવવી.

Leave a Reply

error: Content is protected !!