fbpx

સંજય સુરાના અને સુરાના પરિવાર: સુરતનું એક વિશ્વસનીય નામ

Spread the love

સંજય સુરાના અને સુરાના પરિવાર: સુરતનું એક વિશ્વસનીય નામ

સુરત શહેર આજે લઘુ ભારતની ઓળખ સાથે પ્રગતિ કરી રહ્યું છે. અહીં હીરા, કાપડ અને બાંધકામના ક્ષેત્રે અનેક લોકો કામ કરે છે. પણ જ્યારે વિશ્વાસ અને ગુણવત્તાની વાત આવે ત્યારે સુરાના ગ્રુપનું નામ લોકોના મનમાં સૌથી પહેલા આવે છે. ગ્રુપના પ્રમોટર સંજય સુરાના સુરતીઓ માટે માત્ર એક વેપારી નથી તેઓ એક વિશ્વસનીય વ્યક્તિ છે જેમના કામ પર લોકો આંખ મીંચીને વિશ્વાસ કરે છે.

06

સુરાના ગ્રુપના સ્થાપક છે સ્વ. બાબુલાલજી સુરાના. લોકો તેમને વ્હાલથી મામાજી કહે છે. વર્ષ 1989માં તેમણે JK Tower નામે પહેલો પ્રોજેક્ટ કર્યો. આ ટાવરનું નામ તેમના પિતા જસકરણ સુરાનાના નામ પરથી રાખવામાં આવ્યું હતું જે  રિંગ રોડ પર સુરતનું પહેલું કોમર્શિયલ બિલ્ડિંગ હતું. તે સમયે લોકોને ઓફિસ માટે આધુનિક જગ્યાની જરૂરિયાત હતી. બાબુલાલજીએ તે જરૂરિયાતને સમજીને આ પ્રોજેક્ટ બનાવવ્યો હતો. 

બાબુલાલજીનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રામાણિક અને સાદું હતું. તેઓ હંમેશાં સાચું બોલતા અને સાચું કરતા. લોકો કહે છે કે તેમની વાતમાં વજન હતું અને તેમના કામમાં ગુણવત્તા હતી. તેમણે સુરતને આધુનિક ઓફિસ સ્પેસ આપવાનું કામ શરૂ કર્યું. આ જ વારસાને તેમના પુત્ર સંજય સુરાનાએ આગળ વધાર્યો.

04

સંજય સુરાના બાબુલાલજીના પુત્ર છે. 18 વર્ષની ખૂબ જ નાની ઉંમરે તેમણે પોતાનો ટેક્સટાઇલનો વેપાર શરૂ કર્યો હતો પછી તેઓ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં આવ્યા. સંજય સુરાના ખૂબ જ સરળ અને મિલનસાર વ્યક્તિ છે. તેઓ કોઈની પણ સાથે સહજ સરળતાથી વાત કરે છે અને તેમનો સ્વભાવ ખૂબ જ નમ્ર છે. તેઓ ધર્મ અને સમાજ પ્રત્યે હંમેશાં સમર્પિત રહે છે. તેઓ માને છે કે સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે બીજાને પણ મદદ કરો. તેઓ ચેરિટી અને સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સંજય સુરાનાના નેતૃત્વમાં સુરાના ગ્રુપે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. સંજય સુરાના માત્ર બિલ્ડિંગ જ નથી બનાવતા, તેમણે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ મોટું યોગદાન આપ્યું છે. 

સુરાના ગ્રુપની સફળતાનું મુખ્ય કારણ છે ગ્રાહકોનો વિશ્વાસ. તેઓ હંમેશાં બાંધકામની ગુણવત્તા પર ધ્યાન આપે છે. આજે સુરાના ગ્રુપની ત્રીજી પેઢીના સભ્ય વિશાલ સંજયભાઈ સુરાના પણ પિતાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે BBA કર્યું છે. 22 વર્ષની ઉંમરે પરિવારના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયા છે. તેઓ જૂની રીતોને સુધારવા માટે નવા આઇડિયા લાવે છે. તેમનો સ્વભાવ નમ્ર છે. તેઓ મહેનતુ છે અને મિલનસાર સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના દાદા અને પિતાના વારસાને જાળવીને આગળ વધી રહ્યા છે. આજે તેમના બનાવેલા પ્રોજેક્ટ્સમાં  આંતરરાષ્ટ્રીય કંપનીઓ, રેસ્ટોરન્ટ્સ અને રિટેલર્સ છે. તેમણે બનાવેલા  જેવા પ્રોજેક્ટ્સ સુરતને પ્રાઇડ આપે છે.

05

સંજય સુરાના પરિવાર માત્ર વેપાર જ નથી કરતા. તેઓ સમાજના મૂલ્યોને જાળવીને ચાલે છે. તેઓ મર્યાદામાં રહીને કામ કરે છે. તેમની કંપનીમાં કર્મચારીઓને પણ પરિવારના સભ્ય તરીકે જોવામાં આવે છે. આવી કાર્યપદ્ધતિને કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા માટે સરળ રસ્તા અપનાવે છે ત્યારે સુરાના પરિવાર એક આદર્શ ઉદાહરણ છે. તેઓ નિષ્ઠા, પ્રામાણિકતા અને ગુણવત્તા પર વિશ્વાસ રાખે છે. તેમની કાર્યશૈલી યુવા પેઢીને શીખવે છે કે સાચી સફળતા માટે મહેનત, સાદગી અને ગ્રાહકોના વિશ્વાસને જાળવવો જરૂરી છે.

સુરતમાં સુરાના ગ્રુપ આજે પણ નવા પ્રોજેક્ટ્સ સાથે આગળ વધી રહ્યું છે. સંજય સુરાના અને તેમના પરિવારની આ સફળતા એ બતાવે છે કે જ્યારે વેપાર સાથે સંસ્કારો જોડાય છે ત્યારે તે લાંબા સમય સુધી ટકે છે.

03

આ પરિવાર સુરતના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. તેઓ લોકોને સારા ઘર અને ઓફિસ આપે છે. તેમની કામગીરીથી સુરત વધુ સુંદર અને આધુનિક બની રહ્યું છે. સાચા મૂલ્યો સાથે કામ કરવાથી જ સાચી સફળતા મળે છે એ વાત સંજય સુરાના પરિવાર ચરિતાર્થ કરતું જણાઈ રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!