
ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે સારો નહોતો રહ્યો. ટીમને પહેલી T20Iમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. પછી, તેઓ ODI શ્રેણી 2-1થી હારી ગયા. જોકે, આ પ્રવાસની સૌથી મોટી ચર્ચા ટીમનું પ્રદર્શન નહોતું; અહીં ચર્ચા થઇ હતી ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને લઈને. ઘણી ચર્ચા, અટકળો અને નિર્ણયો થયા. જોકે, રોહિતે લોર્ડ્સમાં સદી ફટકારીને બધા ટીકાકારોને ચૂપ કરી દીધા.
ભલે આ શ્રેણી પછી રોહિતના ભવિષ્ય વિશેની ચર્ચાનો અંત આવી ગયો હશે, પરંતુ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન AB De વિલિયર્સે આ ચર્ચાનો કાયમ માટે અંત લાવવા માટે સલાહ આપી છે. હવે, એ જોવાનું બાકી છે કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર તેમની સલાહ સાંભળે છે કે નહીં. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટનના મતે, ટીમ ઈન્ડિયાએ રોહિત વિના 2027 ODI વર્લ્ડ કપમાં રમવાનો વિચાર છોડી દેવો જોઈએ.

જોકે, AB De વિલિયર્સે એ પણ સ્વીકાર્યું કે રોહિતનું પ્રદર્શન સતત સારું રહ્યું નથી. પરંતુ, તેમના મતે, આ કંઈ નવું નથી. તેમના મતે, રોહિત અને આવું પ્રદર્શન એકસાથે ચાલે છે. આનો અર્થ એ નથી કે તેને ટીમમાં લેવાના વિચારમાંથી જ બાકાત રાખવો જોઈએ. તેમના મતે, રોહિત ODI વર્લ્ડ કપમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
AB De વિલિયર્સે કહ્યું, ‘તમે જોઈ શકો છો કે વિરાટ અને રોહિત ટીમમાં કેટલો ફરક લાવે છે. ખાસ કરીને તેમની હાજરી ટીમમાં આત્મવિશ્વાસ જગાડે છે.’
આમ જોવા જઈએ તો, રોહિતે ઇંગ્લેન્ડ સામેની પહેલી 2 વનડેમાં ખાસ કંઈ કર્યું ન હતું. તેણે પહેલી વનડેમાં 11 રન અને બીજીમાં 26 રન બનાવ્યા. જોકે, ત્રીજી અને અંતિમ વનડેમાં તેનું બેટ જોરથી ચાલ્યું હતું. તેણે માત્ર 110 બોલમાં 138 રનની ઝડપી ઇનિંગ રમી. તેની સાથે વિરાટ કોહલીએ પણ અંતિમ વનડેમાં 74 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઇન્ડિયા 27 રનથી મેચ હારી ગઈ. પરંતુ, જ્યાં સુધી બંને દિગ્ગજ ખેલાડી ક્રીઝ પર હતા, ત્યાં સુધી 388 રનનો લક્ષ્યાંક પણ પીછો કરી શકાય તેવો લાગતો હતો.

AB De વિલિયર્સે વધુમાં કહ્યું, ‘રોહિત ક્યારેય સૌથી સુસંગત ખેલાડી રહ્યો નથી. તેની સુસંગતતા હંમેશા ઉપર નીચે થતી રહી છે. પરંતુ જ્યારે પણ મોટા મંચ પર મોટી મેચ હોય છે, ત્યારે તમારે રોહિતને તમારી બાજુમાં રાખવાની જરૂર હોય છે. આવા અનુભવી ખેલાડીઓ સરળતાથી મળતા નથી. રોહિત અને વિરાટનો અનુભવ, ખાસ કરીને ઉચ્ચ દબાણવાળી મેચોમાં, બધો ફરક લાવી શકે છે.’

રોહિતે T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે હવે ફક્ત ODI રમે છે. તેનું લક્ષ્ય 2027 વર્લ્ડ કપ સુધી પહોંચવાનું હતું. આ જ કારણ છે કે AB De વિલિયર્સ માને છે કે, ઉચ્ચ દબાણવાળી ટુર્નામેન્ટમાં રોહિત અને વિરાટનો અનુભવ ખૂબ ઉપયોગી થશે. તેમના મતે, વર્લ્ડ કપ કોઈ દ્વિપક્ષીય ટુર્નામેન્ટ નથી જ્યાં તમે એક જ ટીમ સામે વારંવાર રમો છો. અથવા તેની એટલી બધી ચર્ચા થઇ ન હોય. વર્લ્ડ કપમાં ઘણું વધારે દબાણ હોય છે, અને આવી પરિસ્થિતિમાં અનુભવ જ કામ લાગે છે. જો કે, એ જોવું રસપ્રદ રહેશે કે મુખ્ય પસંદગીકાર અગરકર અને તેમના સાથી પસંદગીકારો AB De વિલિયર્સની આ સલાહને કેટલી ગંભીરતાથી લે છે.