ભારતના રાજકારણ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ (ADR)એ એક ચોંકાવનારા દોવા કર્યો છે.ADRના સ્થાપક પ્રો. જગદીપ છોકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જે મત પડ્યા હતા તેના કરતા મતની ગણતરી ઓછી થઇ છે અથવા મત વધી ગયા છે.મતલબ કે જેટલા મત થયા છે એટલા જ મત ગણતરીમાં ગણાયા નથી.
તેમણે દાવો કર્યો છે કે, લોકસભાની 362 બેઠકો પર મતદારોએ જેટલા મત આપ્યા હતા તેના કરતા મતગણતરીમાં તેનાથી 5 લાખ 54 હજાર 598 વોટની ગણતરી ઓછી થઇ છે.
જ્યારે 176 બેઠકો એવી છે જ્યાં મતદારોએ જે મત આપ્યા તેનાથી 35હજાર 93 મત વધારે ગણતરી થયા છે.
ADRના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશ,દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહારની બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.