fbpx

પ્રાંતિજ તાલુકા મા વધુ એક બાળ દર્દીનુ ચાંદીપુરા વાયરસ થી મોત

Spread the love

પ્રાંતિજ તાલુકા મા વધુ એક બાળ દર્દીનુ ચાંદીપુરા વાયરસ થી મોત
પ્રાંતિજ ના પોયડા ના બાળક નુ ચાંદીપુરા વાયરસ થી મોત
– અમદાવાદ ખાતે વેન્ટિલેટર પર રખાયેલ બાળ દર્દીનુ સારવાર દરમ્યાન મોત
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકામા વદરાડ બાદ પ્રાંતિજ ના પોયડા ખાતે પણ ચાંદીપુરા વાયરસ થી બાળ દર્દીનુ અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ


 
 પ્રાંતિજ તાલુકાના વરસાદ બાદ પ્રાંતિજ ના પોયડા ખાતે પણ બાળક ને શંકાસ્પર્દ ચાંદીપુરા ના લક્ષણો જણાતા સારવાર અર્થે અમદાવાદ પાઇવેટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો અને એન્કે ફેકાઇટીસ (ચાંદીપુરા) વાયરસ પોઝિટીવ બાળ દર્દી જૈમીનભાઇ લાલસિંહ ચૌહાણ ઉ.વર્ષ-૧  વેન્ટિલેટર પર હોય જે બાદ દર્દી નુ ગઈ કાલે અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ તો પ્રાંતિજ તાલુકામા વદરાડ બાદ પોયડા ખાતે બાળ દર્દી નુ ચાંદીપુરા વાયરસ થી મોત થયુ હતુ તો ચાંદીપુરા થી પ્રાંતિજ તાલુકામા બે અને જિલ્લા મા કુલ-૪ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!