fbpx

‘એક રન બચ્યો હોય અને..’, મેચ ટાઇ થયા બાદ રોહિત શર્માનો ફૂટ્યો ગુસ્સો?

Spread the love

ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વન-ડે મેચ ટાઇ રહી. ભારતને છેલ્લા 15 બૉલમાં 1 રન બનાવવાનો હતો અને તેની પાસે 2 વિકેટ બચી હતી. પહેલા સેટ બેટ્સમેન શિવમ દુબે આઉટ થયા બાદ અર્શદીપ સિંહ બીજા જ બૉલ પર આઉટ થઇ ગયો. મેચ ટાઇ થયા બાદ રોહિત શર્માએ પણ નારાજગી વ્યક્ત કરી. રોહિત શર્માએ કહ્યું કે, 1 રન પાછળ રહી જવાય તો સારું લાગતું નથી. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, લક્ષ્ય હાંસલ કરી શકાતું હતું, પરંતુ અમે હિસ્સાઓમાં સારું પ્રદર્શન કર્યું.

રોહિત શર્માએ કહ્યું કે, અમે શરૂઆત સારી કરી પછી વિકેટ પડી, પરંતુ ત્યારબાદ કેએલ રાહુલ અને અક્ષર પટેલે પાર્ટનરશિપ કરીને અને મેચમાં પાછા લઇને આવ્યા, પરંતુ 14 બૉલમાં એક રન બચ્યો હોય અને ન જીતી શકો તો સારું લાગતું નથી. આ એવી પીચ નથી કે જ્યાં આવતા જ શૉટ લગાવવા લાગો. મેચ બંને તરફ જઇ રહી હતી. મને લાગે છે કે અમે સારું કર્યું, છતા અમે એક રનથી પાછળ રહી ગયો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ એ મેચમાં બનેલી હતી.

તેણે કહ્યું કે, પીચ, મેચ આગળ વધાવા સાથે જ ધીમી થતી જઇ રહી હતી. એવામાં કેએલ રાહુલ અને અક્ષર પટેલે ટીમને મુશ્કેલીથી બહાર કાઢ્યા તો શિવમ દુબે ટીમને જીતની કગાર પર લઇ ગયો હતો. સ્કોર બરાબર થયો તો અસલંકાએ 2 બૉલમાં 2 LBW કરીને મેચની કહાની પૂરી રીતે પલટી દીધી. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિસંકાએ 56 રન અને વેલ્લાલાગેના નોટઆઉટ 67 રનની મદદથી 230 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારત 47.5 ઓવરમાં 230 રન બનાવીને સમેટાઇ ગઇ. રોહિત શર્માએ અડધી સદી ફટકારી.

મેચ બાદ શ્રીલંકાના કેપ્ટન અસલાંકાએ જણાવ્યું કે, તેના કયા નિર્ણયે મેચનું પાસું પલટી દીધું. તેણે કહ્યું કે, અમને વિશ્વાસ હતો કે અમે આ ટોટલને ડિફેન્સ કરી શકીએ છે, પરંતુ અમારે વધુ સારી બોલિંગ કરીને તેમને 230 રન પણ બનાવવા દેવા જોઇતા નહોતા. બપોરે બૉલ વધારે ટર્ન થઇ રહ્યો હતો, પરંતુ લાઇટ્સની અંદર બેટિંગ કરવાનું સરળ થઇ ગયું. જ્યારે ડાબા હાથના બેટ્સમેન બેટિંગ માટે આવ્યા તો મેં વિચાર્યું કે હું બોલિંગ કરી શકું છું, કેમ કે ખૂબ વધારે સ્પિન થઇ રહ્યો હતો. ખેલાડીઓએ સેકન્ડ હાફમાં જે પ્રકારની રમત દેખાડી અને જે એનર્જી રહી, એ મને ખૂબ પસંદ આવ્યું. દુનિથ વેલ્લાલાગે અને પથુમ નિસાંકાએ ખૂબ શાનદાર બેટિંગ કરી.

error: Content is protected !!