fbpx

પ્રાંતિજ ના પલ્લાચર-પોગલુ રોડ ઉપર ત્રિપલ અકસ્માત

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર-પોગલુ રોડ ઉપર ત્રિપલ અકસ્માત
– પલ્લાચરથી પોગલુ રોડ પર ત્રણ બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
– અમીનપુર ના બાઈક ચાલક યુવકનું  ઘટનાસ્થળે જ  કમકમાટીભર્યુ મોત
– ચાર ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં અમીનપુરના બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું  અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી


 શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે  પ્રાંતિજ ના પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર ત્રણ બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  જેમાં અમીનપુરના બાઈક ચાલક યુવક સુમિતભાઇ ભલાભાઈ રાવત ઉ.વર્ષ -અંદાજે ૧૯ ને ઘટના સ્થળે જ ગંભીર ઈજાને કારણે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું  અકસ્માતની ઘટનાને લઈને આજબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી  ત્યારે ૧૦૮ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અન્ય ચાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા  પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી તો અકસ્માત મા અમીનપુર ખાતે રહેતા એક ના એક યુવાન પુત્ર નુ અકસ્માત મા મોત નિપજતા પરિવાર સગા સંબંધી ઓ સહિત ગામમા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ તો સુત્રોધારા જાણ મલ્યુ હતુ કે મૃતક યુવક તેની નોકરી નો પ્રથમ દિવસ હોય ધરે થી પ્રાઇવેટ કંપની નાઇટ મા  નિકળ્યો હતો અને અકસ્માત નડતા તેનુ અકસ્માત મા ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!