fbpx

પ્રાંતિજ શ્રી દશામા ના મંદિર ખાતે ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ શ્રી દશામા ના મંદિર ખાતે ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો
– ગાયત્રી પરિવાર ની બહેનો દ્રારા ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો
– મંદિર ના ટ્રસ્ટી દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી દશામા ના મંદિર ખાતે ગાયત્રી પરિવાર ની બહેનો દ્રારા ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો


   પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી દશામા ના મંદિર ખાતે હાલ મા ચાલી રહેલ દશામા ના વ્રત ઉત્સવ નુ પાવન પર્વ ચાલી રહ્યુ છે સાથે પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે કાર્યરત ગાયત્રી પરિવાર ની બહેનો દ્રારા દશામા ના મંદિર પરિસદ મા ભજન-કીર્તન નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને મા ગાયત્રી ની આરાધના પણ કરવામા આવી હતી તો મંદિર સહ સ્ટ્રીટ શ્રીમતી ઉષાબેન નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને ભજન-કીર્તન બાદ આરતી પ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા તો પવિત્ર શ્રાવણ માસ અને દશામા વ્રત ઉત્સવ ના આ ધાર્મિક માસ મા ગાયત્રી પરિવાર ની બહેનો એ ભજન-કીર્તન કરી ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!