fbpx

પ્રાંતિજ બહુચર માના મંદિર ખાતે ભજન કીર્તન કાર્યક્રમ

Spread the love

પ્રાંતિજ બહુચર માના મંદિર ખાતે ભજન કીર્તન કાર્યક્રમ
– છેલ્લા પંદર વર્ષ થી શ્રાવણ માસમા એક મહિનો ભજન કીર્તન કાર્યક્રમ યોજાય છે
– ખોડીયાર કુવા મહિલા મંડળ ની બહેનો દ્રારા ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખોડીયાર કુવા ખાતે આવેલ જય શ્રી બહુચર મંદિર ખાતે રાત્રીના ભજન-કીર્તન સહિત કાર્યક્રમ યોજાય છે જેમા ખોડીયાર કુવા મહિલા મંડળની બહેનો દ્રારા ભજન કીર્તન કરવામા આવે છે


   હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકા મા વિવિધ મહિલા મંડળો દ્રારા વિવિધ શિવ મંદિરો સહિત મંદિરોમા ભજન કિર્તન કાર્યક્રમ સહિત રાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ત્યારે પ્રાંતિજ બજાર વિસ્તાર મા આવેલ ખોડીયાર કુવા ખાતે આવેલ જય શ્રી બહુચર મંદિર ખાતે પણ ખોડીયાર કુવા મહિલા મંડળ ની બહેનો દ્રારા છેલ્લા ૧૫ વર્ષ થી શ્રી બહુચર મંદિર ખાતે રાત્રીના ભજન કિર્તન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમા ખોડીયાર કુવા મહિલા મંડળ ની બહેનો દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ આખો શ્રાવણ માસ મા દરરોજ રાત્રીના ભજન કીર્તન કરતા હોય છે અને શ્રાવણ માસમા એક દિવસ નો ધાર્મિક સ્થળ નો પ્રવાસ નુ પણ આયોજન પણ કરે છે તો ખોડીયાર કુવા મહિલા મંડળ ના સોની સુલોચનાબેન , સોની કંચનબેન , રાઠોડ મંજુલાબેન , શર્મા ભગવતી બેન , ચૌધરી ગીતાબેન , મોદી હંસાબેન , ભોઇ લીલાબેન , ભોઇ હંસાબેન સહિત મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને શ્રાવણ માસ ના પવિત્ર મહિનામા ભજન-કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો કરી મંડળ ની મહિલાઓ ધન્યતા અનુભવતી હોય છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!