fbpx

પ્રાંતિજ  વૃધ્ધાશ્રમ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી

Spread the love

પ્રાંતિજ  વૃધ્ધાશ્રમ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી
– શરદભાઇ પરીખ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું
– ઉપસ્થિત વૃધ્ધોએ પણ ત્રિરંગા ને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરી
 


સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ભારત ભરમાં કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ માં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી


 પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે પણ વૃધ્ધાશ્રમ ના સંચાલક વિભાષભાઇ દ્રારા દર વર્ષ ની જેમ આ વખતે પણ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી તો પ્રાંતિજ ખાતે રહેતા શરદભાઇ પરીખ દ્રારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો  વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો દ્વારા તિરંગા ને સલામી આપી હતી અને દેશ ભકિત ના ગીતો ગાઈ ને દેશભકિત ના રંગમા રગાયા હતા અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ  તાલુકા સહકારી વેચાણ સંધ ના ચેરમેન જીતુભાઇ પટેલ , પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ નિરવભાઇ પરીખ , પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન સહિયર ગુપ ના પ્રમુખ જીગજ્ઞાબેન દેસાઇ , સોનલબેન પરીખ , સોનલબેન દેસાઇ ,હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , હેમંતભાઇ દેસાઇ , શ્રધ્ધા બેન પટેલ , અલકાબેન પટેલ , સુરેશભાઇ રાવલ સહિત ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!