fbpx

પ્રાંતિજ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળા બનાવવામાં આવ્યો  

Spread the love

પ્રાંતિજ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળા બનાવવામાં આવ્યો  
– વૈષ્ણવ સમાજ ના ભાઇ-,બહેનો એ હિંડોળા ના દર્શન નો લાભ લીધો  
– મંદિર વ્યવસ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા આબેહુબ હિંડોળા બનાવવામાં આવ્યો હતો

     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ  શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે  પવિત્ર અધિક-શ્રાવણ માસ માં દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભારદવા નો આબેહુબ હિંડોળા બનાવવામાં આવ્યાં હતાં જેમાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી  


પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા હતાં જેમાં ફુલો નો હિંડોળો  , ફળોનો હિંડોળો  , સુકા મેવાનો હિંડોળો જેવા હિંડોળા બનાવવામાં આવ્યાં હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવ્યો હતો જેમાં આબેહૂબ મ્યુઝિક સંગીત લાઇટો સાથે હિંડોળો આસોપાલવ ના પાના સાથે આબેહૂબ સજાવવામાં  આવ્યો હતો તો વૈષ્ણવ સમાજ ના ભાઇ બહેનો એ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર વ્યવસ્થાપકો  કિરીટભાઇ દેસાઇ , કાર્તિક કુમાર દલાલ , હર્ષકુમાર દેસાઇ , ગૌરવ કુમાર દલાલ તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવવા મા આવ્યો હતો તો મંદિર ના સંકુલમાં ભજન કિર્તન નો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

 

error: Content is protected !!