fbpx

શું જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સના ગઠબંધનથી ભાજપને નુકશાન થશે?

Spread the love

ભારતના ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યા પછી બધી રાજકીય પાર્ટીઓ તેમની રણનીતી ઘડવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગે 2 દિવસની મુલાકાતે ગયા હતા. ત્યાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સની સાથે વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. જેને કારણે ભાજપને કોઇ અસર પડી શકે?

જાણકારોનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં આ વખતે 90 બેઠકો પર મતદાન થવાનું છે જેમાં 43 બેઠકો જમ્મુમાં છે અને 47 બેઠકો કાશ્મીરમાં છે. જમ્મુમાં હિંદુઓની વસ્તી વધારે છે જ્યારે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે.કોંગ્રેસ જમ્મુ થોડી બેઠકો પણ મેળવે તો ભાજપને નુકશાન થઇ શકે છે. બીજી તરફ જો PDP મેદાનમાં ન ઉતરે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને થઇ શકે છે.

error: Content is protected !!