fbpx

પ્રાંતિજ ખાતે વરસ્તા વરસાદ મા શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી નિકળી

Spread the love

પ્રાંતિજ ખાતે વરસ્તા વરસાદ મા શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી નિકળી
– બ્રાહ્મણો તથા શિવ ભક્તો દ્રારા નગરયાત્રા કાઢી
-દાદા એ ભકતોના ધરે ધરે જઇ પધરામણી કરતાં ભકતોએ દાદાની આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી
-શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી જન્માષ્ટમી દિવસે તથા શિવરાત્રી દિવસે વર્ષ માં બે વાર  નિકળે છે
– સાંસદ તથા પૂર્વ મહિલા કોર્પોરેટર ના ધરે પધરામણી કરવામા આવી
     


 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મંદિર ના વ્યવસ્થા સ્થાપકો દ્રારા વાજતે ગાજતે સવારી કાઢવામાં આવીહતી જેમાં શિવભકતો દ્રારા શ્રી માલ્કડેશ્વર દાદાની પધરામણી ધરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી


    નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ પાંડવો ના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માલ્કડેશ્વર મહાદેવ ની દરવર્ષ ની જેમ શિવરાત્રી ના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવીહતી અને અગાઉ થી નોંધણી થયેલ શિવભકતો ના ધરે દાદાની પધરામણી કરવામાં આવીહતી જયારે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષ માં બે વખત નિકળે છે.જેમાં શિવરાત્રી તથા જન્માષ્ટમી એમાં શિવરાત્રી ના દિવસે દાદાની સવારી નાનીભાગોળ , બજારચોક તથા ગામના અંદર ના રૂટો માં જાયછે જયારે જન્માષ્ટમી ના દિવસે હાઇવે એપ્રોચરોડ થી ભાંખરીયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી ઓમાં તથાદુકાનો માં પધરામણી થાયછે.આમ આવર્ષે પણ વરસતા વરસાદ મા બ્રાહ્મણો તથા શિવ ભકતો દ્રારા  નગરયાત્રા કાઢવામા આવી હતી જેમા શ્રી માલ્કડેશ્વર દાદાની સવારી દરવર્ષ ની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નિકળી હતી અને દાદાએ ભક્તોના ધરે ધરે જઇ આશીવાર્દ આપ્યા હતા જયારે ભકતો દ્રારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી

તો પ્રાંતિજ ગજાનંદ સોસાયટી મા રહેતા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરે પણ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની પધરામણી કરાવવામા આવી હતી જેમા સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા તેવો નો પુત્ર મંથન બારૈયા દ્રારા દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ વહેચી બ્રાહ્મણોને દક્ષિણા આપવામા આવી હતી

તો નગરપાલિકા ના ભાજપ ના વોર્ડ નંબર-ચાર ના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ ના ધરે પણ દાદાની પધરામણી કરવામા આવી હતી અને પતિ-પત્ની દ્રારા દાદાની આરતી ઉતારી પ્રસાદ વેહચી ને ધન્યતા અનુભવી હતી જયારે અગાઉ નકકી કરેલ રૂટ ઉપર થઇ દાદાની સવારી ભકતો ના ધરે ધરે લઇ જવામાં આવેછે અને સંધ્યાકાળ પહેલાં દાદા સવારી પરત મંદિરમાં પહોચી જાય છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!