fbpx

તાજમહલની જાળવણી પર રાજનીતિ,અખિલેશે મકબરાની દીવાલ પર ઊગેલા છોડનો વીડિયો કર્યો શેર

Spread the love

તાજ મહલની જાળવણી પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાદ હવે સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરીને જાળવણી પણ સવાલ ઉઠાવ્યા છે. X પર તાજ મહલમાં મુખ્ય મકબરાની દીવાલ પર ઊગેલા છોડનો વીડિયો પોસ્ટ કરતા તેમણે ભાજપ પર સીધો પ્રહાર કર્યો. તેમણે લખ્યું કે, વિશ્વભરના પર્યટકોને આકર્ષિત કરનાર તાજ મહલની જાળવણીને ભાજપ સરકાર અને તેમનો સુષુપ્ત નિષ્ક્રિય વિભાગ પૂરી રીતે નિષ્ફળ છે.

ગુરુવારે સાંજે અખિલેશ યાદવે X પર સ્મારકની જાળવણી પર પોસ્ટ કરતા ઘણા બિંદુ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, મુખ્ય ગુંબજ પર લાગેલા કળશની ધાતુમાં કાટ લાગવાની આશંકા છે. મુખ્ય ગુંબજમાં પાણી ટપકી રહ્યું છે. ઝાડ ઊગવાના સમાચાર લાઇમલાઇટમાં છે. આવા વૃક્ષોના મૂળિયાં જો વિકસિત થયા તો તાજ મહલમાં તિરાડો પડી શકે છે. તાજ મહલનું પરિસર વાંદરાઓ માટે અભયારણ્ય બની ગયું છે. પરિસરમાં પાણી ભરાવાની સમસ્યા છે. પર્યટકોને પરેશાની છે કે તેઓ તાજ મહલને જુએ કે સમસ્યાને નિપટે.

દુનિયાભરમાંથી આવતા પર્યટકો વચ્ચે દેશની છબી વૈશ્વિક સ્તર પર ધૂમિલ થઈ રહી છે. સવાલ એ છે કે તાજ મહલની જાળવણી માટે જે કરોડોનું ફંડ આવે છે, તે ક્યાં જાય છે? સરકાર એક જીવતું જાગતું સક્રિય ઉદાહરણ હોવું જોઈએ. 12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું હતું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તાજ મહલથી કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિના સૌથી જૂના પ્રતિકોમાંથી એક સાથે એવો વ્યવહાર કરે છે.

મજેદાર વાત એ છે કે તે તર્ક આપે છે કે વક્ફ સ્મરકોને તેના આધિન કરી દેવા જોઈએ જેથી તે તેની જાણવાની કરી શકાય. તે 10માં ધોરણની પરીક્ષામાં નાપાસ થવા અને પીએચડી માટે અરજી કરવા જેવુ છે. અધિક્ષણ પુરાતત્વવિદ ડૉ. રાજકુમાર પટેલે કહ્યું કે, આ મામલે તેમણે કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ. તાજ મહલની દીવાલમાં ઊગેલો છોડ ઈન્ટરનેટ મીડિયામાં પ્રસારિત થવા અગાઉ જ હટાવી દેવામાં આવ્યો હતો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!