fbpx

નીતિન ગડકરીએ એવું કેમ કહ્યું કે રાજા એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી શકે

Spread the love

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી છેલ્લાં કેટલાંક સમયથી એવા નિવેદન કરી રહ્યા છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી જાય. તેમણે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજા (શાસક) એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી છે અને તેના પર આત્મચિંતન પણ કરી શકે.  આપણાં દેશમાં  મતભેદ કોઇ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે કોઇ પોતાનો અભિપ્રાય આપતું નથી. આપણે હવે અવસરવાદી બની ચૂક્યા છે.

રાજકારણના જાણકારોનું માનવું છે કે ગડકરીનું આ નિશાન પ્રધાનમંત્રી મોદી સામે હોય શકે છે. પ્રધાનમંત્રી મોદીની આલોચના કરનારા કેટલાંક અખબારો જેમ કે દૈનિક ભાસ્કર, વાયર, પ્રિન્ટ વગેરે પર દરોડા પડ્યા હતા. તો એનડીટીવી પત્રકાર રવિશ કુમારે નોકરી છોડવાનો વારો આવ્યો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!