fbpx

ધોની સાથે આ 2 ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડી તરીકે કરી શકાય છે રિટેન

Spread the love

IPLને લઇને નવા નિયમ આવી ગયા છે. હવે ટીમો 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. તેમાં 5 કેપ્ડ અને એક અનકેપ્ડ ખેલાડી સામેલ હશે. ટીમો કેપ્ડ ખેલાડીને અનકેપ્ડ ખેલાડીઓને તરીકે રિટેન કરી શકે છે, પરંતુ તેના માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે. જે ખેલાડી છેલ્લા 5 વર્ષોથી એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી, તેમને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકાય છે. આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે પિયુષ ચાલવાનું નામ પણ જોડાઇ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સાથે લાંબા સમયથી છે અને ટીમ તેને છોડવા નહીં માગે. તો તે ફરી એક વખત રિટેન થઇ શકે છે, પરંતુ તે અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. જો કે, તેને લઇને અત્યાર સુધી કોઇ પ્રકારની સત્તાવાર જાણકારી સામે આવી નથી. આ લિસ્ટમાં પિયુષ ચાલવાનું નામ પણ જોડાઇ શકે છે. પિયુષ ચાલવાને મુંબઇ ઇન્ડિયન્સ અનકેપ્ડ ખેલાડીના રૂપમાં રિટેન કરી શકે છે.

તેણે ભારત માટે અંતિમ વન-ડે વર્ષ 2011માં અને અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2012માં રમી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) સંદીપ શર્માને રિટેન કરી શકે છે. સંદીપે ભારતીય ટીમ માટે માત્ર 2 T20 મેચ રમી છે. તેણે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હતું અને એજ વર્ષે અંતિમ ઇન્ટરનેશનલ મેચ પણ રમી હતી. સંદીપનો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો રેકોર્ડ રહ્યો છે અને તે IPLમાં પણ ઘાતક બોલિંગ કરી ચૂક્યો છે. સંદીપ શર્માએ 126 IPL મેચોમાં 137 વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, રિટેન થનારા અનકેપ્ડ ખેલાડીઓની વેલ્યૂ 4 કરોડ રૂપિયા સુધી થઇ શકે છે. તો કેપ્ડ ખેલાડી માટે 18 કરોડ રૂપિયા સાથે સાથે અન્ય કેટેગરી પણ નક્કી કરવામાં આવી છે. આ વખત ઓક્શનમાં ટીમોના પર્સમાં વધારે પૈસા હશે. તેમાં 120 કરોડ રૂપિયા કરી દીધા છે. તો તેનો ફાયદો ખેલાડીઓને મળશે. ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાં મળનાર અમાઉન્ટ સાથે-સાથે મેચ ફીસ પણ મળશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!