fbpx

પ્રાંતિજ તાલુકા ની ત્રણ પંચાયતો સમરસ થઈ

Spread the love

પ્રાંતિજ તાલુકા ની ત્રણ પંચાયતો સમરસ થઈ
– કમાલપુર , રામપુરા (આમોદરા ) , મોરવાડ પંચાયત સમરસ થઈ
– ત્રણેય  પંચાયતો મા આઠેય વોર્ડ સમરસ થયા
– સમરસ થતા ત્રણેય પંચાયતો  વિકાસ તરફ પ્રણાય
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ની કુલ ૫૪ ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાવા જઈ રહી છે જેમા કમાલપુર , રામપુરા (આમોદરા) , મોરવાડ ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થઈ તો ત્રણેય પંચાયતો સમરસ થતા ગ્રામજનો મા ખુશીનો માહોલ


   પ્રાંતિજ તાલુકા ની ગ્રામ પંચાયત ની સામાન્ય તથા પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચુટણી નો માહોલ જામ્યો છે તેવા મા પ્રાંતિજ તાલુકા ની ત્રણ ગ્રામ પંચાયતો કમાલપુર , રામપુરા (આમોદરા  ) ,મોરવાડ ત્રણેય ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી અને ત્રણેય પંચાયતો મા આઠેય આઠ વોર્ડ સમરસ થતા ગ્રામજનો મા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તો આ ત્રણેય પંચાયતો સમરસ થતા ગામના વિકાસ ના કામો ને પણ વેગ મળશે

તો કમાલપુર ખાતે મહિલા સરપંચ તરીકે પટેલ બબીતાબેન મીઠાભાઇ ની પ્રસંગી થઈ હતી અને નામ જાહેર કરતા તેવો ના સમર્થકો સમાજ ના લોકો તથા ગ્રામજનો સહિત પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર થયેલ મહિલા સરપંચ ને ફુલહાર પહેરાવી ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો રામપુરા (આમોદરા) ખાતે પરમાર પારૂલબેન વિષ્ણુસિંહ ને સરપંચ તરીકે જાહેર થતા તેવોને પણ સર્મથકો સમાજ ના લોકો ગ્રામજનો દ્રારા ફુલહાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા હતા તો મોરવાડ ખાતે પણ ગ્રામ પંચાયત સમરસ થતા સરપંચ તરીકે ભીખુસિંહ મુળસિંહ પરમાર ને તેવોના સમર્થકો તથા સંગાસંબધીઓ સમાજ ના લોકો ગ્રામજનો દ્રારા ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!