fbpx

પ્રાંતિજ ખાતે તસ્કરોનો તરખાટ એકજ રાત્રી મા ચાર અલગ અલગ જગ્યાએ ચોરી કરી

Spread the love

પ્રાંતિજ ખાતે તસ્કરોનો તરખાટ એકજ રાત્રી મા ચાર અલગ અલગ જગ્યાએ ચોરી કરી
– બે મંદિરો નિશાન બનાવ્યા તથા બે વાહનો ની ચોરી કરી પલાયન
– બે મંદિરો માંથી જલાધારી ,ચાંદીનુ છત્રર , એક પંચ ધાતુ નો ધટ સહિત અંદાજે ૧૫૦૦૦ ની ચોરી
– એક પલ્સર બાઇક , ટ્રેક્ટર તથા ટોલી ની ચોરી
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એકજ રાત્રીમા તસ્કરોએ ચાર અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી પલાયન થતા પ્રાંતિજ પોલીસને જાણ કરવામા આવી


   પ્રાંતિજ ખાતે તસ્કરોએ એકજ રાત્રી મા બે મંદિરો તથા બે વાહનો ની ચોરી કરી પલાયન થતા મંદિર ના પુજારી તથા વાહન માલિકો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામા આવી હતી જેમા પ્રાંતિજ નાનીભગોળ ભરચક વિસ્તાર મા આવેલ શ્રી હરીહરેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમ્યાન મંદિર મા પ્રવેશ કરી મંદિર મા રહેલ બે જલાધારી તથા એક ચાંદીનુ છત્રર સહિત કુલ અંદાજે ૧૫૦૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા તો પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પંચ ધાતુ માથી બનેલ એક ધટ ની ચોરી કરી હતી તો નેશનલ હાઇવે ઉપર આવેલ ભુપેન્દ્ર પેટ્રોલ પંપ નજીક રાત્રીમા ખુલ્લી જગ્યામા પાર્ક કરેલ એક ટ્રેક્ટર- ટોલી ના દેખાતા ટ્રેક્ટર માલિક ભરતભાઇ ઇન્દ્રવદન વણઝારા દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ ત્રણ રસ્તા ઓવરબ્રીજ પાસે આવેલ પટેલ પાર્ક સોસાયટી મા રહેતા ચિરાગ હિતેષ ભાઇ પટેલ ના ધર આગળ રાત્રી દરમ્યાન પાર્ક કરેલ પલ્સર બાઇક રાત્રીના કોઇ ચોર ઈસમો ચોરી કરી લઈ જતા સવારે બાઇક ધર આગળના જોવા મલતા આજુબાજુ મા શોધખોળ બાદ પણ ના મલી રહેતા બાઈક માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો એકજ રાત્રી મા બે મંદિરો સહિત બે વાહનોની ચોરી થતા નગરજનો મા પોતાના વાહનો તથા પોતાના માલ મિલકત ને લઈ ને હાલતો ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્રારા રાત્રી નો પોલીસ પેટ્રોલિંગ સધન કરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!