
પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમા યોજાયેલ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
– મૃતકો ના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી
પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમા ૧૨| જૂન ના રોજ એરોપ્લેન ક્રેશ થતાં યાત્રિકોએ જાન ગુમાવ્યા હતા તેમને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો


પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન ઈંગ્લિશ મિડિયમ કે જી સેક્શન , માત્રૃ શ્રી મહાલક્ષ્મી બેન કાશીનાથ બાલમંદિર , અવરઓન વિદ્યા વિહાર કેળવણી સંચાલિત અન્ય શાળાઓમા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે થી એર ઇન્ડિયા નું બોઇંગ ૭૮૭ પ્લેન બપોરે લંડન જવા રવાના થયું હતું, તેમાં 12 ક્રુ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા ફ્લાઇટ ઉડાન ભરી ગણતરી ની મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી જેમાં ૨૪૧ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા કેળવણી મંડળના મંત્રી રઈસ કસ્બાતી ના માર્ગદર્શન હેઠળ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમા બે મિનિટ નું મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ તબક્કે કેળવણી મંડળ સંચાલિત સમગ્ર સ્ટાફ ગણ એ બે મિનિટ નું મૌન રાખી મૃતકો ના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પી હતી
જીલ રાવલ સાબરકાંઠા