fbpx

પ્રાંતિજ ખાતે સ્વ.શરદચંદ્ર અમૃતલાલ પરીખ ના શ્રધ્ધાંજલી કાર્યક્રમ મા નગરજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા 

Spread the love

પ્રાંતિજ ખાતે સ્વ.શરદચંદ્ર અમૃતલાલ પરીખ ના શ્રધ્ધાંજલી કાર્યક્રમ મા નગરજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા 

– રાજકીય નેતાઓ સહિત નગરના અગ્રણીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા 

– ધાર્મિક સંસ્થાઓ , ધાર્મિક દેવળ સ્થાનો સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા 

             

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ભિસ્મ પિતા તરીકે ઓળખાતા સ્વ.શરદચંદ્ર અમૃતલાલ પરીખ ના શ્રધ્ધાંજલી કાર્યક્રમ મા રાજકીય નેતાઓ આગેવાનો સહિત નગરના અગ્રણીઓ નગરજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા 

   પ્રાંતિજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ ના પિતા અને પ્રાંતિજ ખાતે ધાર્મિક દેવળ સ્થાનો , ધાર્મિક સંસ્થાઓ , અંબોલા પશુઓ માટે પાજળા પોળ સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ સ્વ.શરદચંદ્ર અમૃતલાલ પરીખ નુ ટુકી માંદગી બાદ ૮૪ વર્ષ ની ઉમરે તેવોનુ ટુકી માંદગી બાદ અવસાન થતા તેવોના મોતને લઈ ને પરિવાર સગાસંબંધીઓ નગરજનો મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ તો પરિવાર દ્રારા પ્રાંતિજ વ્યામશાળા ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ નુ આયોજન કર્યુ હતુ જેમા રાજકીય નેતાઓ આગેવાનો , નગરના અગ્રણીઓ , વિવિધ સંસ્થાઓના પ્રમુખો ,મંત્રીઓ સભ્યો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને  સ્વર્ગસ્થ શરદભાઇ પરીખ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી તેવોની આત્મા ને શાન્તી મળે તે માટે પ્રમુને પ્રાર્થના કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , નગર ના અગ્રણી રઇશભાઇ કસ્બાતી , વેપારી મંડળના પ્રમુખ ભુમેશભાઇ પરીખ , એ.કે.પટેલ , ર્ડા એન.કે.ડેરિયા , નૃપાંશભાઇ પટેલ , હર્ષદભાઈ રાવલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , કુશવભાઇ બ્રહ્મભટ્ટ , રફીકભાઈ સહિત વિવિધ મંડળના પ્રમુખો-મંત્રીઓ સભ્યો સહિત પ્રાંતિજ તથા તાલુકા માંથી લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા .

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!