fbpx

સુરતની શિવ મહાપુરાણ કથામાં ભાજપની આંતરિક જુથબંધી સામે આવી

Spread the love

સુરતમાં સાંઇ લીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લિંબાયત વિસ્તારમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામા આવી રહ્યું છે અને જાણીતા પંડિત પ્રદીપ મિશ્રા કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેમાં સુરત ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી ગઇ છે અને તેની ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ હિંદુત્વને સપોર્ટ કરતી પાર્ટી માનવામાં આવે છે અને આ કથા પણ હિંદુત્વને મજબુત કરવા માટે થઇ રહી છે.

લિંબાયતમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્રારા કરવામાં આવ્યું છે. વાત એમ બની છે કે આ કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ થયો હતો, પરંતુ 16 જાન્યુઆરીએ આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ગિંડ પર ચાર્જ વસુલવાની વાત કરવામાં આવી રહી છે.

કથાના હોર્ડિંગ્સમાં ભાજપ નેતાઓના નાના- મોટા ફોટાને લઇને આતંરિક વિવાદ ઉભો થયો છે.

error: Content is protected !!