
શિક્ષણ જગતની શરમજનક ધટના
- આચાર્ય દ્રારા જાતીય સતામણી માનસિક ત્રાસ સામે ગ્રામજનો મા ઉગ્રરોષ
પ્રાંતિજ ના વડવાસા વિધાલય ખાતે ગ્રામજનો હોબાળો - આચાર્ય દ્રારા શિક્ષિકા સાથે જાતીય સતામણી માનસિક ત્રાસ આપતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા
- આચાર્ય ની બદલી કરવા ગ્રામજનો ની માંગ
- બદલી નહી થાય તો શાળાએ તાળા બંધી ની ચીમકી
- શિક્ષિકા દ્રારા શિક્ષણાધિકારી , ટ્રસ્ટી મંડળ , ગ્રામજનો તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા લેખિત મા રજુઆત











સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિધાલય ના આચાર્ય દ્રારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા વડવાસા ગ્રામજનો દ્રારા આચાર્ય ની બદલીને લઈ ને હોબાળો કર્યો અને આચાર્ય ની બદલી નહી થાયતો શાળાએ તાળા બધી કરવાની ચીમકી ઉચ્ચારી

શિક્ષણ જગત ને લોછણ શિક્ષણ જગતની શરમજનક જનક ધટના પ્રાંતિજ ના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિધાલય ના આચાર્ય વિપુલભાઈ રમણલાલ પટેલ દ્રારા શાળામા શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતી શિક્ષિકાને છેલ્લા ત્રણ વર્ષ થી જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાથી શિક્ષિકા દ્રારા શિક્ષાત્મક કાર્યવાહી કરવા ન્યાય આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારી , ટ્રસ્ટી મંડળ , ગ્રામજનો તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અરજી કરવામા આવી છે શાળા ના આચાર્ય વિપુલભાઈ રમણલાલ પટેલ દ્રારા સ્ત્રી કર્મચારી હોઇ આ વાતનો ફાયદો ઉઠાવી અવારનવાર કુદ્રષ્ટિ થી ઓફીસ ની અંદર બોલાવી સીડી ની નીચે ખુણામા રાખેલ કોમ્પ્યુટર ઉપર બેસાડી શિક્ષિકા ને કહતો કે મને તારી સાથે પ્રેમ છે તથા પ્રેમીની વાતો કરી પ્રેમ સ્વીકારવા દબાણ કરતો અને જીંદગી એકવાર મળે છે માણી લો તમારા પતિ સાથે પણ રહો અને મારી સાથે પણ રહો તમારા પતિ ને કોણ કહેવા જવાનુ છે અને તમારા પતિ તમને છોડી દેશેતો હુ તમારી સાથે લગ્ન કરી લઈશ તેવુ કહી બિભસ્ત માંગણીઓ કરતા શિક્ષિકા દ્રારા ના પાડવા છતાંય અવરનવર વોટશોપ ઉપર શાયરીઓ મોકલી જોવા માટે કહી જાતીય સતામણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા શિક્ષિકા દ્રારા આ અંગેની જાણ ગ્રામ લોકો તથા જિલ્લા શિક્ષણાધિકારી ,ટ્રસ્ટી મંડળ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા શિક્ષક વિરૃધ્ધ લેખિત મા રજુઆત કરી હતી તો ગ્રામજનો ને રજુઆત કરતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા અને ટ્રસ્ટીઓને આચાર્ય ની બદલી કરવા રજુઆત કરી હતી અને જો આ આચાર્ય આજે નાની વય ની શિક્ષિકા જોડે આવી માંગણીઓ કરે છે તે કાલી સ્કુલ મા અભ્યાસ કરતી બાળકી ઓ સાથે માંગણી કરી શકે છે જેવી માંગણીઓ સાથે ગ્રામજનો શાળા ખાતે દોડી આવી ને આચાર્ય ની બદલી નહી કરવામા આવે તો શાળાને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ગાંધીમાગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે
ટ્રસ્ટી મંડળ નુ શુ કહેવુ છે |
---|
તેવોએ જણાવ્યુ હતુ કે અમને શિક્ષિકા ની ફરીયાદ મુજબ આગામી ટ્રસ્ટી મંડળની મીટીંગ બોલાવી બંન્ને બાજુમા જવાબો સાંભળી યોગ્ય નિર્ણય કરીશું |
ગ્રામજનોનુ શુ કહેવુ છે |
---|
ગ્રામજનોનુ કહેવુ છેકે આચાર્ય ની બદલી કે સસ્પેન્ડ નહી કરવામા આવેતો બાળકો ને શાળાએ મોકલીશુ નહી અને શાળાએ તાળુ મારી ગાંધી ચિધ્યા માગે આંદોલન કરીશુ |
જીલ રાવલ પ્રાંતિજ


