
દેવભૂમિ દ્વારકાએ જુદી જુદી રીતે ફેમસ છે. ગુજરાતની પહેલી રાજધાની હતી, ભગવાન કૃષ્ણની કર્મ ભૂમિ હતી અને દ્રારકાના ર્સ્વગના પ્રવેશ દ્રાર તરીકે પણ કહેવામાં આવે છે. દેશના 4 પવિત્ર મઠોમાનું એક મઠ દ્રારકામાં છે. હવે દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણની 108 ફુટ ઉંચી ભગવાન કૃષ્ણની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનવાની છે.

દ્રારકામાં બનનારા કોરીડોરમાં પ્રથમ તબક્કામાં 138 કરોડના ખર્ચે દ્રારકાધીશ મંદિરથી રૂકમણી મંદિર સુધીનો રસ્તો બનશે. બીજા તબક્કામાં બેટ દ્રારકાથી હનુમાન દંડી સુધીનો રસ્તો બનશે અને ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિર અને ગોપીતળાવ બનાવવામાં આવશે. બધા સ્થળોને એક સાથે જોડવામાં આવશે.
દેવભુમિ દ્રારકાનું મુખ્ય મંથક જામખંભાળિયા છે. 15 ઓગસ્ટ 2023માં જામખંભાળિયાને જામનગરમાંથી અલગ કરીને નવો જિલ્લો બનાવાયો હતો.


