fbpx

ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

Spread the love
ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે. તાજેતરમાં જ, ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું.  ત્યારબાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી. એવામાં, મોટો સવાલ એ છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે? પાકિસ્તાનમાં લાંબા સમયા સુધી રાજદૂત રહેલા અને હાલના સમયમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે તેનો એક ઉકેલ બતાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીર ને ભારતને સોંપી દે તો આખો મુદ્દો જ ઉકેલાઈ જશે.

જે.પી. સિંહે  અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો અમેરિકા તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરીને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને કેમ નહીં સોંપી શકે? જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો મામલો ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે, પરંતુ IWT ઓપરેશનલ છે. 

error: Content is protected !!