fbpx

પ્રાંતિજ ના સીતાવાડા ખાતે તમો માને રાખતા નથી તેમ કહી ગાળો બોલી મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના સીતાવાડા ખાતે તમો માને રાખતા નથી તેમ કહી ગાળો બોલી મારમાર્યો
– લાકડી ગડદાપાટુ નો મારમાર્યો
– જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સીતવાડા ખાતે તમે માને રાખતા નથી તેમ કહી ગાળો બોલી લાકડી તથા ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ત્રણ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ના સીતવાડા ખાતે રહેતા નીરૂસિંહ કોદરસિંહ રાઠોડ દ્રારા ચકુસિંહ રાઠોડ ને કહેવા લાગેલ કે તમો મા ને રાખતા નથી અને જમીન પણ તમો વાવોછો તેમ કહી વિભત્સ ગાળો બોલવા લાગેલા જેથી ચકુસિંહ ના ઓ તેઓને સમજાવતા નીરૂસિંહ કોદરસિંહ રાઠોડ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુ નો માર મારવા લાગેલ અને જામુબેન નીરૂસિંહ રાઠોડ દ્રારા કૈલાસબા ચકુસિંહ રાઠોડ ને કપાળ ના ભાગે લાકડી મારેલ અને બિજલબા કોદરસિંહ રાઠોડ દ્રારા કૈલાસ બા તથા ચકુસિંહ ને ગડદાપાટુ નો મારમારી ત્રણેય જણા કૈલાસ બા તથા ચકુસિંહ રાઠોડ ને જાણ થી મારી નાંખવાની ધમકીઓ આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા એકબીજાની મદદગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કૈલાસ બા ચકુસિંહ રાઠોડ રહે.સીતવાડા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે નીરૂસિંહ કોદરસિંહ રાઠોડ , જામુબેન નીરૂસિંહ રાઠોડ , બિજલબા કોદરસિંહ રાઠોડ તમામે-તમામ રહે સીતવાડા મેરાજીવાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૩૫ મુજબ ૧૧૮(૧),૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ દિનેશભાઈ મોહનભાઈ દ્રારા કરવામા આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!