fbpx

તોફાનને કારણે તૂટ્યું વિમાનનું નાક, ચીસો પાડી રહ્યા હતા મુસાફરો ,ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાયું આ દૃશ્ય

Spread the love
તોફાનને કારણે તૂટ્યું વિમાનનું નાક, ચીસો પાડી રહ્યા હતા મુસાફરો ,ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાયું આ દૃશ્ય

દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 માં અફરાતફરી થઈ ગઈ જયારે વિમાને હવામાં ખરાબ હવામાનનો સામનો કર્યો. જેમ જેમ ફ્લાઇટ શ્રીનગર નજીક આવી રહી હતી, તેમ તેમ ભારે કરા અને તોફાનનો સામનો કરવો પડ્યો, જેનાથી વિમાનના આગળના ભાગ – નોઝ કોનને ભારે નુકસાન થયું.

પાયલોટે ATC ને આપી કટોકટીની માહિતી

હવામાન અને પરિસ્થિતિ બગડતા, પાયલોટે શ્રીનગર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને કટોકટીની જાણ કરી. જોકે પાઇલટ અને ક્રૂની હાજરીની સમજદારીને કારણે, વિમાનને સાંજે 6:30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર ઉતારી દીધું.

indigo

વાયરલ વીડિયોમાં જોવા મળ્યું ભયાનક દ્રશ્ય

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, વિમાનમાં બેઠેલા એક મુસાફર દ્વારા રેકોર્ડ કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં, કરા વિમાન પર પડતા દેખાય છે અને આખું વિમાન ખરાબ રીતે ધ્રુજતું દેખાય છે. વીડિયોમાં મુસાફરોનો ગભરાટ, ચીસો અને ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વિમાનમાં બેઠેસ તમામ 227 મુસાફરો સુરક્ષિત 

લેન્ડિંગ પછી, બધા 227 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ વિમાનને થયેલા નુકસાનને કારણે, એરલાઇને તેને ‘એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ’ (AOG) જાહેર કર્યું છે, એટલે કે જ્યાં સુધી તેનું સમારકામ ન થાય ત્યાં સુધી તે ઉડાન ભરશે નહીં.

એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગોનું નિવેદન

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઇટ 6E2142 ને ખરાબ હવામાનમાં કરાનો સામનો કરવો પડ્યો, જેના પગલે પાયલોટે કટોકટી જાહેર કરી હતી. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ઇન્ડિગોએ પણ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું અને કહ્યું કે ફ્લાઇટ અને કેબિન ક્રૂએ નિર્ધારિત નિયમોનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. શ્રીનગર એરપોર્ટની ટીમે મુસાફરોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. હવે વિમાનનું નિરીક્ષણ અને સમારકામ થયા પછી જ તેને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.

બુધવારે મોડી સાંજે, ભારે વરસાદ અને કરા પડવાના કારણે દિલ્હી-એનસીઆરમાં હવામાન અચાનક બદલાઈ ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ ફેરફાર હરિયાણા અને તેની આસપાસ રચાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે થયો છે, જે પંજાબથી બાંગ્લાદેશ સુધીના પૂર્વ-પશ્ચિમ ટ્રફમાં સક્રિય છે. હવામાનમાં થયેલા આ પરિવર્તનને કારણે, દિલ્હીના IGI એરપોર્ટ પર ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા.

error: Content is protected !!