

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરેલી જ છે કે,30 મે સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઘણા વિસ્તારોમાં મધરાતે મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડ્યો.
27 મેને મંગળવારે પણ ગુજરાતના 22 જિલ્લામાં મીની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદકા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી,જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. જુનાગઢમાં ગિરનાર રોપવેને ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.