
છ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ મકાનો પૈકીના બે મકાનો ધરાશાયી થયા
પ્રાંતિજ ખાતે ૯૯૦ મા આવેલ આવાસ ના બે મકાન ધરાશાયી થયા
– સરકાર દ્રારા ધર વિહોણ લોકોને ધરનુ ધર મળે તે માટે મકાનો બનાવવામા હતા
– બન્ને મકાનોમા કોઇ રહેતુ ના હોય બન્ને મકાન માલિકો નો આબાદ બચાવ
– વસાહત મા બનેલ મકાનોમા નબળી કામગીરી થઈ હોવાનુ લોકો જણાવી રહ્યા છે
– આઇ.એચ.એસ.ડીપી યોજના હેઠળ ૨૦૧૦ થી ૧૧ અને ૧૨-૧૩ મા મકાન તૈયાર થયા હતા
– ૩૪૪ આવસોમાંથી ૨૧૨ લાભાર્થીઓને ૨૦૧૭ મા ફાળવવામા આવ્યા હતા
– આવસ નુ લોકપણ પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ ના હસ્તે થયુ હતુ
– હજુએ કેટલાય મકાનો ની દિવાલો ધાબાઓ પડે તેવી સ્થિતિમાં
– જવાબદાર તંત્ર દ્રારા નિષ્પક્ષ પણે તપાસ થાય તો નબળી કામગીરી ની પોલ ખુલેતો નવાઈ નહી
– સરકાર દ્રારા લોકોને ધરનુ ધર મળી રહે તે માટે લાખ્ખો રૂપિયાના ખર્ચે મકાનો બનાવવામા આવ્યા છે
– તંત્ર ની મીલીભગત થી નબળી કામગીરી ને લઈ ને બે પરિવારો હાલતો ધર વિહોણ થયા
– કોન્ટ્રાક્ટર સામે સરકાર કે તંત્ર દ્રારા એક્શન લેવામા આવે તેવી માંગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ગલેચી ભાગોળ બોખ વિસ્તાર મા ૯૯૦ મા બનાવવામા આવેલ ૩૪૪ આવાસો ના મકાનો પૈકી ના બે મકાનો ધરાશાયી થયા જોકે બન્ને મકાનોમા કોઇ ના રહેતુ હોય બન્ને મકાન માલિકો નો આબાદ બચાવ થયો છે


પ્રાંતિજ ખાતે ગુજરાત સરકાર દ્રારા ધર વિહોણા લોકોને ધરનુ ધર મળી રહેતે હેતુથી પ્રાંતિજ ગલેચીભાગોળ બોખ વિસ્તાર મા આવેલ સર્વે નંબર-૯૯૦ મા રૂપિયા છ કરોડ ના ખર્ચે આઇ.એચ.એસ ડીપી યોજના અંતર્ગત ૨૦૧૦ થી ૧૧ અને ૧૨ , ૧૩ મા ૩૪૪ આવાસો બનાવવામા આવ્યા હતા જૈ પૈકી ૨૧૨ આવસો લાભાર્થીઓને ૨૦૧૭ મા ફાળવવામા આવ્યા હતા તો આ આવાસ નુ લોકો પણ સાબરકાંઠા-અરવલ્લી પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ ના હસ્તે થયુ હતુ જે મકાનો પૈકી મકાન નંબર-૭૩ મારવાડી લસાજી રધાજી મકાન તથા મકાન નંબર-૭૪ મારવાડી વિનુભાઇ નારણભાઇ બન્ને ને ફાળવવામા આવ્યા હતા ત્યારે મકાનો એકદમ ધરાશીયી થતા આજુબાજુ મા રહેતા લોકો તથા અન્ય મકાન માલિકો મા હાલતો પોતાના મકાનોને લઈ ને ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે તો વસાહત મા બનેલ મકાનો મા નબળી કામગીરી થઈ હોવાનુ ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે તો મકાન નો કાટમાળ મા પણ સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે બે ઇટો વચ્ચે માલ ના હોય પોલુ રહેતુ હોવાનુ મકાન ના કાટમાળ જણાઇ આવે છે અને માલની ગુણવત્તા ઉપર પણ અનેક હાલતો સવાલો ઉઠયા છે



તો વસાહત મા બનેલ મકાનો મા નબળી કામગીરી થઈ હોવાનુ ત્યાંના સ્થાનિકો પણ જણાવી રસ્યા છે તો હજુએ મકાનો મા નબળી કામગીરી ને લઈ ને કેટલાય મકાનોની દિવાલો ધાબાઓ પડે તેવી સ્થિતિ મા હોવાનુ પણ લોકો જણાવી રહ્યા છે તો જો જવાબદાર તંત્ર દ્રારા નિષ્પક્ષ પણે તપાસ કરવામા આવે તો નબળી કામગીરી સામે આવે તેમ છે ત્યારે હાલતો જેતે સમયે જવાબદાર તંત્ર ની મીલીભગત થી નબળી કામગીરી ને લઈ ને બે પરિવારો હાલતો ધર વિહોણા થયા છે ત્યારે જવાબદાર તંત્ર સરકાર દ્રારા ધરાશાયી થયેલ મકાનો ઝડપી તૈયાર કરી પરિવારોને ઝડપી મકાનો મળે તેવુ લોકો જણાવી રહ્યા છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે હજુએ કેટલાય મકાનો દિવાલો ધરાશાયી થાય તેમ છે તેનુ સર્વે થશે કે પછી હજુ બીજા એક બે મકાનો પડવાની કે કોઇ પરિવાર નો જીવ જશે તેની રાહ જોવામા આવશે એતો હવે જોવુ રહ્યુ ત્યારે આ મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કે સરકાર દ્રારા એક્શન લેવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ



