
પ્રાંતિજ ખાતે સ્વામિનારાયણ મંદિર નો ૧૩૮ મો પાટોત્સવ ની દબદબાભેર ઉજવણી
– સંતો મહંતો સહિત હરિભકતો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ નો ૧૩૮ મા પાટોત્સવ ની ઉજવણી બુધવાર ના રોજ ધામધુમથી કરવામા આવી હતી







નરનારાયણ દેવની પૂર્ણ કૃપાથી ગાદી પીઠાધિપતિ પરમપૂજય મહારાજ કૌશેલેન્દ્ પ્રસાદજી ની શુભ આશિર્વાદત્મક આજ્ઞાથી તથા ભાવી આચાર્ય ૧૦૮ વજેન્દ્ પ્રસાદજી મહારાજ તથા સમગ્ર ધર્મકૂળ ના પૂર્ણ રાજીપાથી શ્રીહરિ ના પાવન ચરણકમળથી પવિત્ર ધરા ઉપર નિર્મિત સ્વામિનારાયણ મંદિર પ્રાંતિજ મા બીરાજમાન દેવો ધર્મભકિત-હરિકૃષ્ણ મહારાજ , રાધાકૃષ્ણ દેવ તથા ધનશ્યામ મહારાજ ના ૧૩૮ મા પાટોત્સવ અંતર્ગત દૂર દૂર થી સંતો-મહંતો તેમજ હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા મંદિર ના મહંત સ્વામી પ્રાણજીવનદાસજી ના માર્ગદર્શન તેમજ મંદિર ના પ્રમુખ કનુભાઈ પંડ્યા તથા આયોજન કમીટી તેમજ સર્વે હરિભકતોના સાથ અને સહકાર થી પાટોત્સવ ની ઉજવણી ખુબજ ધામધૂમ થી કરવામા આવી હતી પાટોત્સવ ની ઉજવણી અંતર્ગત સવારે નિયત સમયે મંગળાઆરતી , ઠાકોરજીનુ અભિષેક પૂજન , અભિષેક ,મહાપૂજા , શણગાર તથા અન્નકુટ આરતી , તેમજ સત્સંગ સભાનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતો અને સંતો મહંતોએ આ પાવન પ્રસંગે હરિભકતોને આશીર્વાદ પાઠવીને તેમના કલ્યાણ માટે શુભકામનાઓ પાઠવી હતી