
-copy3.jpg?w=1110&ssl=1)
ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર મુજબ અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારને રૂ. 75,000 કરોડનો ટેક્સ ભર્યો છે જે ગયા વર્ષના રૂ. 58,104 કરોડની સરખામણીએ 29% વધુ છે. આ રકમમાં ડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 28,720 કરોડ, ઇનડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 45,407 કરોડ અને કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે રૂ. 818 કરોડનો સમાવેશ થાય છે. આ ટેક્સની રકમ એટલી મોટી છે કે તે મુંબઈના સમગ્ર મેટ્રો નેટવર્કના નિર્માણ ખર્ચ જેટલી છે જે લાખો લોકોની રોજિંદી મુસાફરીને સરળ બનાવે છે.

ગૌતમ અદાણીનું આ યોગદાન એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે કારણ કે તે દેશની પ્રગતિમાં ફાળો આપે છે. અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી સિમેન્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે તેમણે આ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત ગ્રુપે તેની ટેક્સ પારદર્શિતા દર્શાવવા માટે ‘બેસિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ’ નામે દસ્તાવેજ પણ પજાહેર કરેલ છે જેમાં વૈશ્વિક ટેક્સ અને અન્ય યોગદાનની વિગતો આપવામાં આવી છે.

આ સિદ્ધિ દેશના આર્થિક વિકાસમાં અદાણી ગ્રુપની મહત્વની ભૂમિકા દર્શાવે છે પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે GST ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે જેનો બોજ આખરે જનતા પર જ પડે છે. ઉપરાંત અદાણી ગ્રુપના રૂ. 2.4 લાખ કરોડના દેવા અને યુએસમાં $265 મિલિયનના લાંચ કેસનો ઉલ્લેખ કરીને પણ ટીકા થઈ છે. જોકે આ બધા વચ્ચે ગૌતમ અદાણીનું ટેક્સ યોગદાન એક ગુજરાતી તરીકે દેશ પ્રત્યેની તેમની જવાબદારી અને સન્માન દર્શાવે છે. આવા યોગદાનથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિકાસને નવી દિશા મળી શકે છે જે ગુજરાતીઓ માટે ગર્વનો વિષય છે.