fbpx

પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ભાવભેર ઉજવણી કરવામાં આવી

Spread the love

પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ભાવભેર ઉજવણી કરવામાં આવી
– પ્રાંતિજ માં વટ વૃક્ષ ની સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુ અને સલામતી માટે વ્રત કર્યુ
– વટ સાવિત્રીના વ્રતમાં પરિણીતી સોળ શણગાર કરીને વટ વૃક્ષની પૂજા કરી
– પ્રાંતિજ સહિત તાલુકામા વિવિધ સ્થળો પર મહિલાઓ વડની પૂજા કરવામાં આવી
– વટ વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મ વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળી રહે છે
         

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા વટ-સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી અને સવારથી પરિણીતાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી પુનમ નુ વ્રત ઉજવે છે વટ સાવિત્રી વ્રત પૂજા વિધી – ભારતીય નારીની પતિભક્તિનું પ્રતિક એટલે વટપૂર્ણિમાં વ્રત

વટ સાવિત્રીના વ્રતમાં પરિણીતી સોળ શણગાર કરીને વટ વૃક્ષની પૂજા કરે છે સૌભાગ્યવતી રહેવા અને પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે તો પ્રાંતિજ સહિત તાલુકામા વટ સાવિત્રી ના વ્રત ની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી જેમા પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ શાળાનંબર બે પાસે આવેલ વર્ષો પુરાણ વડ તથા નાની ભાગોળ ખાતે પણ વર્ષો જુનો પુરાણ વડ નું મોટાભાગની મહિલાઓએ પૂજા અર્ચના કરીને અને ૧૦૮ વખત વટ વૃક્ષ પર કાચું સુતર મોટાભાગની મહિલાઓ દ્રારા બાંધવામાં આવે છે અને વટ સાવિત્રી માં મોટા ભાગે મહિલાઓ વ્રત કરે છે વટ વૃક્ષ ની અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પૂજા વિધિ કરી રહ્યા છે આમ તો મહિલાઓ પોતાના પતિ ના આયુષ વધે સાથે પુત્ર પ્રાપ્તિ માટે વ્રત કરવામાં આવે છે હિંદુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે પૌરાણિક માન્યતા અનુસાર દિવસે રાહ સાવિત્રી તેના પતિ સત્યવાનને યમરાજ પાસેથી છીનવીને લાવ્યા હતા આ કારણોસર હિન્દુ મહિલાઓ પતિના દીર્ઘ યુ માટે આ વ્રત કરે છે વટ વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મ વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળી રહ્યા છે વડ સાવિત્રીનું વ્રત સૌ ભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે આમ, તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે વટ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી-સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વટ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓજ કરે છે આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!