fbpx

એર ઈન્ડિયા 787-8 ડ્રીમલાઇનરમાં ક્યાં હોય છે સીટ 11A, જેના પર બેઠા મુસાફરનો બચી ગયો જીવ

Spread the love
એર ઈન્ડિયા 787-8 ડ્રીમલાઇનરમાં ક્યાં હોય છે સીટ 11A, જેના પર બેઠા મુસાફરનો બચી ગયો જીવ

અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાના આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા મુસાફરોના મોત થયા છે. જોકે, એક મુસાફર બચી ગયો છે. જે યાત્રીનો જીવ બચી ગયો છે, એ મુસાફર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11 A પર બેઠો હતો. જો અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઇનર વિમાનની બેઠક વ્યવસ્થાની વાત કરીએ, તો તેમાં સૌથી આગળ તરફ બિઝનેસ ક્લાસ હોય છે. ત્યારબાદ, તેની પાછળ ઇકોનોમી ક્લાસ છે. આજ ઇકોનોમી ક્લાસની પહેલી લાઇનમાં, બારીવાળી સીટ નંબર 11 A છે, જેના પર બેઠો વ્યક્તિ આ અકસ્માતમાં બચી ગયો છે.

Air India Plane

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિની ઓળખ રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. રમેશની ઉંમર 40 વર્ષ છે અને તે બ્રિટિશ નાગરિક છે. રમેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઇજાગ્રસ્ત છે, પરંતુ તે પોતાના પગ પર ચાલતો જોવા મળી રહ્યો છે. રમેશ સુરક્ષિત છે. જોકે, આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે.સાથે જ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું પણ મોત થઈ ગયું છે.

Ahmedabad plan crash

એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને 12 જૂનની સવારે 10:07 વાગ્યે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને 11:40 વાગ્યે અમદાવાદ પહોંચ્યું હતું. દિલ્હીથી અમદાવાદ વચ્ચે આ વિમાને AI 423 નંબરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ, જ્યારે આ જ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરે છે, ત્યારે ક્રેશ થઈ ગયું. આ ઘટના પર, ગુજરાત સરકારે કહ્યું છે કે આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના શબોને ઓળખી શકવા મુશ્કેલ છે. એટલે, મૃતકોના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ શબોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!