fbpx

જુનાગઢના માંગરોળમાં રિપેરીંગ દરમિયાન ક્રેઇનને કારણે બ્રિજનો એક ભાગ તુટી પડ્યો

Spread the love
જુનાગઢના માંગરોળમાં રિપેરીંગ દરમિયાન ક્રેઇનને કારણે બ્રિજનો એક ભાગ તુટી પડ્યો

હજુ તો વડોદરામાં ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાને એક સપ્તાહ પણ નથી થયું ત્યાં જુનાગઢના માંગરોળ તાલુકામાં આવેલા આજક ગામના બ્રિજનો સ્લેબ તુટી પડતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. 8 લોકો 15 ફુટ નીચે પડ્યા, પરંતુ સદનસીબે કોઇને ગંભીર ઇજા કે જાનહાની થઇ નથી.

જુનાગઢ જિલ્લા કલેકટરે કહ્યું કે, છેલ્લા 4 દિવસથી જિલ્લામાં બ્રિજનું ઇન્સ્પેકશન ચાલી રહ્યું છે અને તેમાં 6 બ્રિજ વાહનના અવરજવર માટે બંધ કરી દીધા છે. આજક ગામનો બ્રિજ પણ બંધ કરી દેવાયો હતો. રિપેરીંગ કામ દરમિયાન JCBનો ભાર એક ભાગ સહન ન કરી શક્યો જેને કારણે સ્લેબ તુટી ગયો હતો. રિપેરીંગ કામ ચાલતુ હતું તે જોવા માટે લોકો ભેગા થયા હતા.

error: Content is protected !!