

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો થયો છે. અનિરુદ્રાચાર્યેએ એવું કહ્યુ હતું કે, 25 વર્ષની યુવતીઓ ચારિત્ર્યની સારી નથી હોતી, 4 જગ્યાએ મોઢું મારી આવી હોય છે. છોકરીઓના લગ્ન 14 વર્ષની ઉંમરે જ કરી દેવા જોઇએ, જેથી સાસરામાં જલ્દી હળીમળી જાય.
આ નિવેદનને કારણે મહિલાઓ ગુસ્સે ભરાઇ ગઇ છે અને ઉત્તર પ્રદેશમા ઠેર ઠેર પ્રદર્શનો થયા છે. એ પછી સ્વામીએ માફી માંગીને કહ્યું છે કે, મારા વીડિયોને તોડી મરોડીને વાયરલ કરવામાં આવ્યો છે. મે કેટલીક છોકરીઓ એમ કહ્યુ હતું. મહિલાઓ કહી રહી છે કે તમારું કામ કથા કરવાનં છે એમાં ધ્યાન રાખો.
